શોધખોળ કરો

ગ્રીનમેન વિરલ દેસાઈના પુસ્તક 'આર્કિટેક્ટ ઑફ અમૃતપથ'નું જય વસાવડા અને કમિશ્નર અજય તોમરના હાથે વિમોચન

જાણીતા પર્યાવરણવાદી અને ઉદ્યોગપતિ વિરલ દેસાઈ દ્વારા લખાયેલા પુસ્તક 'આર્કિટેક્ટ ઑફ અમૃતપથ'નું સુરતના પોલીસ કમિશનર અજય તોમર તેમજ જાણીતા લેખક જય વસાવડા દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું

સુરત: જાણીતા પર્યાવરણવાદી અને ઉદ્યોગપતિ વિરલ દેસાઈ દ્વારા લખાયેલા પુસ્તક 'આર્કિટેક્ટ ઑફ અમૃતપથ'નું સુરતના પોલીસ કમિશનર અજય તોમર તેમજ જાણીતા લેખક જય વસાવડા દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું. આ પુસ્તકમાં વિરલ દેસાઈ દ્વારા નરેન્દ્ર મોદી સરકાર દ્વારા બે ટર્મમાં કરવામાં આવેલા પર્યાવરણીય કાર્યો વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. પુસ્તક અંગ્રેજી અને ગુજરાતી એમ બે ભાષાઓમાં એકસાથે લોન્ચ કરવામાં આવ્યું હતું.

પોતાના પુસ્તક વિશે વિરલ દેસાઈએ કહે છે કે, 'આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ પાછલા દસ વર્ષોમાં આંતરાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કરે એવા પર્યાવરણીય કાર્યો કર્યા છે. તેમણે મિશન લાઈફથી લઈ નમામિ ગંગે તેમજ સ્વચ્છ ભારત જેવી અનેક ચળવળો લોન્ચ કરી છે. તો ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં પણ તેમણે અત્યંત મહત્ત્વની સફળતાઓ પ્રાપ્ત કરી છે. એક પર્યાવરણ પ્રેમી તરીકે મને આ તમામ કાર્યો અત્યંત પ્રભાવક લાગ્યા છે, જે કાર્યો વિશે દેશનો દરેક નાગરિક જાણે એ મહત્ત્વનું છે. એટલા માટે જ અત્યંત સરળ ભાષામાં, લોકો સમજી શકે એ રીતે મેં આ પુસ્તક તૈયાર કર્યું છે.


ગ્રીનમેન વિરલ દેસાઈના પુસ્તક 'આર્કિટેક્ટ ઑફ અમૃતપથ'નું જય વસાવડા અને કમિશ્નર અજય તોમરના હાથે વિમોચન

જાણીતા લેખક જય વસાવડાએ આ પ્રસંગે કહ્યું છે કે 'એક ગુજરાતીએ કરેલા પર્યાવરણીય કાર્યો વિશે બીજા ગુજરાતી પુસ્તક લખે એ આપણે મન એક ઉત્સવ જેવી વાત છે. વિરલ દેસાઈએ સતત પર્યાવરણીય કાર્યો કર્યા છે. આ પુસ્તક તેમની પર્યાવરણીય યાત્રામાં એક મહત્ત્વનો પડાવ છે.'

આ પુસ્તક જાણીતી પ્રકાશન સંસ્થા આર. આર. શેઠ દ્વારા પ્રકાશિત થયું છે. વિરલ દેસાઈએ વધુમાં જણાવ્યું છે કે આગામી સમયમાં તેઓ દેશભરમાં આ પુસ્તકને લઈને ટૂર કરશે અને અને અનેક રાજ્યોમાં વડાપ્રધાનના પર્યાવરણીય કાર્યો વિશે જાગૃતિ આણશે.

વધુ વાંચો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'આ નવું ભારત છે, કોઈ પરમાણુ ધમકીઓથી ડરતું નથી' જન્મદિવસ પર પાકિસ્તાનને PM મોદીનો મેસેજ
'આ નવું ભારત છે, કોઈ પરમાણુ ધમકીઓથી ડરતું નથી' જન્મદિવસ પર પાકિસ્તાનને PM મોદીનો મેસેજ
વંતારા કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી: 'જો કોઈ હાથી રાખવા માંગે છે, તો તેમાં ખોટું શું છે'
વંતારા કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી: 'જો કોઈ હાથી રાખવા માંગે છે, તો તેમાં ખોટું શું છે'
Gujarat Rain: આગામી 3 દિવસ કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદને લઈ એલર્ટ, જાણો શું છે આગાહી
Gujarat Rain: આગામી 3 દિવસ કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદને લઈ એલર્ટ, જાણો શું છે આગાહી
PM Modi Birthday: PM મોદીને કેટલી મળે છે સેલેરી, જાણો કુલ કેટલી છે તેમની સંપત્તિ?
PM Modi Birthday: PM મોદીને કેટલી મળે છે સેલેરી, જાણો કુલ કેટલી છે તેમની સંપત્તિ?
Birth Control Pills: બર્થ કંન્ટ્રોલ પિલ્સથી વધી રહ્યો છે બ્રેસ્ટ કેન્સરનો ખતરો? ડરાવી દેશે આ અભ્યાસ
Birth Control Pills: બર્થ કંન્ટ્રોલ પિલ્સથી વધી રહ્યો છે બ્રેસ્ટ કેન્સરનો ખતરો? ડરાવી દેશે આ અભ્યાસ
Navratri 2025: અમદાવાદમાં આટલા વાગ્યા સુધી જ ગરબા માટે મંજૂરી, મહિલાઓની સુરક્ષા પર પોલીસ આપશે વધુ ધ્યાન
Navratri 2025: અમદાવાદમાં આટલા વાગ્યા સુધી જ ગરબા માટે મંજૂરી, મહિલાઓની સુરક્ષા પર પોલીસ આપશે વધુ ધ્યાન
Belated ITR: અંતિમ તારીખ સુધી નથી ફાઈલ કર્યું ITR? મોડા રિટર્ન ફાઈલ કરવામાં કેટલો થશે દંડ, જાણો વિગતે
Belated ITR: અંતિમ તારીખ સુધી નથી ફાઈલ કર્યું ITR? મોડા રિટર્ન ફાઈલ કરવામાં કેટલો થશે દંડ, જાણો વિગતે
T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં સૌથી વધુ લિકેટ લેનાર ટોપ 5 ઈન્ડિયન બોલર્સ; નંબર 1 પર છે ધાકડ ખેલાડી
T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં સૌથી વધુ લિકેટ લેનાર ટોપ 5 ઈન્ડિયન બોલર્સ; નંબર 1 પર છે ધાકડ ખેલાડી
Embed widget