શોધખોળ કરો

રાજકોટમાં મંત્ર થેરાપી દરબાર યોજાયો, ૭૫૦થી વધુ લોકોએ લીધો આધ્યાત્મિક અનુભવ

પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ સદગુરુ ॐઋષિ સ્વામીજી "ૐ ગુરુ" દ્વારા રાજકોટ ખાતે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં મંત્ર થેરાપી દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાજકોટ (ગુજરાત) [ભારત], માર્ચ 25: પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ સદગુરુ ॐઋષિ સ્વામીજી "ૐ ગુરુ" દ્વારા રાજકોટ ખાતે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં મંત્ર થેરાપી દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ભક્તિ, શાંતિ અને આધ્યાત્મિક ઉર્જાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. આ મંત્ર થેરાપી દરબારનું ઉદ્ઘાટન પોરબંદરના પૂર્વ સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષશ્રી રમેશભાઈ ધડુકના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ દરબારમાં ૭૫૦થી વધુ લોકોએ હાજરી આપી હતી અને પવિત્ર મંત્રોના જાપ તથા મંત્ર સાધનાની શક્તિનો અનુભવ કર્યો હતો. કાર્યક્રમમાં અનેક માનનીય મહાનુભાવો પણ હાજર રહ્યા હતા અને તેમણે ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.


રાજકોટમાં મંત્ર થેરાપી દરબાર યોજાયો, ૭૫૦થી વધુ લોકોએ લીધો આધ્યાત્મિક અનુભવ

દરબાર દરમિયાન ॐગુરુએ મંત્ર શક્તિપાત, સર્વ દુઃખભંજન, દસમહાવિદ્યા ચાલીસા અને ઓમકાર ચાલીસા જેવી સ્વરચિત આધ્યાત્મિક ગાથાઓ રજૂ કરી હતી. સાથે જ જીવનમાં આવતી આર્થિક, શારીરિક, માનસિક અને સામાજિક સમસ્યાઓના નિરાકરણ માટે સાત પ્રકારના દિવ્ય વસ્તુઓ ભેટ સ્વરૂપે આપી હતી.

આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે કલિયુગમાં માનવ ભૌતિક સુખોની પાછળ દોડે છે, છતાં તેને સાચો સંતોષ મળતો નથી. મંત્ર થેરાપી દરબાર દ્વારા લોકોમાં દિવ્ય શક્તિ સાથે જોડાણ સ્થાપિત કરીને આંતરિક શાંતિ અને જીવનના પ્રશ્નોના ઉકેલ મેળવવામાં મદદ કરવામાં આવે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે દેશ અને વિશ્વભરમાં નિઃશુલ્ક મંત્ર થેરાપી દરબારો યોજવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે, જેથી દરેક વ્યક્તિ સુધી આધ્યાત્મિક માર્ગદર્શન પહોંચી શકે. આ દરબારો દ્વારા વ્યક્તિગત સમસ્યાઓ દૂર કરવા સાથે સાથે સમાજના કલ્યાણમાં પણ યોગદાન આપવામાં આવશે. 

આગામી દરબાર ૧૨ એપ્રિલે ભરૂચમાં યોજાશે. ત્યારબાદ આનંદ, બિલીમોરા, નવસારી, સુરત અને ગોંડલ સહિત ગુજરાતના વિવિધ શહેરોમાં કાર્યક્રમો યોજવાના આયોજન છે.

ગંભીર શારીરિક પડકારો હોવા છતાં ॐગુરુ સતત લાખો લોકોને પ્રેરણા આપી રહ્યા છે અને તેઓ અમદાવાદ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવના સ્થાપક પણ છે.

Disclaimer: This is a sponsored article. ABP Network Pvt. Ltd. and/or ABP Live does not in any manner whatsoever endorse/subscribe to the contents of this article and/or views expressed herein. Reader discretion is advised.

વધુ વાંચો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sonam Wangchuk: ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં વાંગચુકને મળ્યા મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહ
Sonam Wangchuk: ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં વાંગચુકને મળ્યા મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહ
રાહુલ ગાંધીના વિરોધ અને રાજીનામાની માંગણી પર પ્રતિક્રિયા આપતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, ‘સરકાર NEET પર...’
રાહુલ ગાંધીના વિરોધ અને રાજીનામાની માંગણી પર પ્રતિક્રિયા આપતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, ‘સરકાર NEET પર...’
દિલ્હીમાં પીએમ આવાસ બહાર હંગામો: રાહુલ-પ્રિયંકાની અટકાયત, રાહુલે કહ્યું- 'આ લડાઈ હવે...'
દિલ્હીમાં પીએમ આવાસ બહાર હંગામો: રાહુલ-પ્રિયંકાની અટકાયત, રાહુલે કહ્યું- 'આ લડાઈ હવે...'
CM ભૂપેન્દ્ર પટેલને સીધી કરવી છે ફરિયાદ? તારીખ નોંધી લો, રૂબરૂ રજૂઆતનો આ રહ્યો રસ્તો
CM ભૂપેન્દ્ર પટેલને સીધી કરવી છે ફરિયાદ? તારીખ નોંધી લો, રૂબરૂ રજૂઆતનો આ રહ્યો રસ્તો
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન
IND vs ZIM 1st T20I: ઝિમ્બાબ્વે સામે આવી હશે ભારતની પ્લેઇંગ 11, બે વર્ષ પછી આ વિસ્ફોટક ખેલાડીની એન્ટ્રી
IND vs ZIM 1st T20I: ઝિમ્બાબ્વે સામે આવી હશે ભારતની પ્લેઇંગ 11, બે વર્ષ પછી આ વિસ્ફોટક ખેલાડીની એન્ટ્રી
દિલ્હીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: પીએમ આવાસ બહારથી રાહુલ-પ્રિયંકાની અટકાયત, અખિલેશને હટાવાયા
દિલ્હીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: પીએમ આવાસ બહારથી રાહુલ-પ્રિયંકાની અટકાયત, અખિલેશને હટાવાયા
Gujarat Rain Alert: આવતીકાલે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, 4 જિલ્લામાં રેડ અને 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Gujarat Rain Alert: આવતીકાલે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, 4 જિલ્લામાં રેડ અને 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Embed widget