Budget 2025: ભારત સરકારનું બજેટ હતું કે પછી બિહાર સરકારનું ? વિપક્ષનો કટાક્ષ
Budget 2025: બજેટ પર વિપક્ષની પ્રતિક્રિયા આવી રહી છે. કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ કહ્યું, "મને સમજાતું નથી કે આ ભારત સરકારનું બજેટ હતું કે પછી બિહાર સરકારનું?

Budget 2025: મધ્યમ વર્ગ અને વરિષ્ઠ નાગરિકોને મોટી રાહત આપતું બજેટ રજૂ કરવામાં આવ્યું. નાણામંત્રી નિર્મલા સીતારમણે બિહારને ઘણી ભેટો આપી. બજેટ પર વિપક્ષની પ્રતિક્રિયા આવી રહી છે. કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ કહ્યું, "મને સમજાતું નથી કે આ ભારત સરકારનું બજેટ હતું કે પછી બિહાર સરકારનું? શું તમે કેન્દ્રીય નાણામંત્રીના આખા બજેટ ભાષણમાં બિહાર સિવાય બીજા કોઈ રાજ્યનું નામ સાંભળ્યું છે?”
#WATCH | #UnionBudget2025 | Congress MP Manish Tewari says, "I fail to understand that was this a budget of govt of India or was this a budget of govt of Bihar? Have you heard the name of another state than Bihar in the entire budgetary speech of the union finance minister?..." pic.twitter.com/A6ij82e5Wo
— ANI (@ANI) February 1, 2025
કુલ મળીને જાહેરાતો બિહાર માટે બહુ જ સકારાત્મકઃ સંજય કુમાર ઝા
જેડી(યુ)ના સાંસદ સંજય કુમાર ઝાએ કહ્યું, “બિહાર માટે સૌથી મોટી જાહેરાત એ છે કે અહીં ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનાવવામાં આવશે. આ ખૂબ મોટી જાહેરાત છે. મખાના બોર્ડની રચના કરવામાં આવશે. ૮૫-૯૦% મખાનાની ખેતી મિથિલા પ્રદેશ, કોસી પ્રદેશમાં થાય છે. મખાનાની હવે વૈશ્વિક માંગ છે. પશ્ચિમ કોસી સિંચાઈ વ્યવસ્થા મિથિલા ક્ષેત્રની લાંબા સમયથી પડતર માંગ હતી. નાણામંત્રીએ આ જાહેરાત કરી છે. ફૂડ પ્રોસેસિંગ ઇન્સ્ટિટ્યૂટની પણ જાહેરાત કરવામાં આવી છે. તેથી, એકંદરે આ જાહેરાતો બિહાર માટે ખૂબ જ સકારાત્મક છે. ૧૨ લાખ રૂપિયા સુધીની કરમુક્તિ એ મોટી રાહત છે.
#WATCH | #UnionBudget2025 | Union Minister Nityanand Rai says, "Bihar has also got priority and big projects have been announced for the state. This budget is for the welfare of poor, farmers and to help the middle class... This budget is such that it will generate employment… pic.twitter.com/E27PjlKjYr
— ANI (@ANI) February 1, 2025
બિહારમાં રોજગારના અવસર પેદા થશેઃ કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાય
કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયે કહ્યું, “બિહારને પણ પ્રાથમિકતા મળી છે. રાજ્ય માટે મોટા પ્રોજેક્ટ્સની જાહેરાત કરવામાં આવી છે. આ બજેટ ગરીબો, ખેડૂતોના કલ્યાણ માટે અને મધ્યમ વર્ગને મદદ કરવા માટે છે. આ એક એવું બજેટ છે જે રોજગારની તકો ઉભી કરશે. મખાના બોર્ડની જાહેરાત ખાસ હતી. બિહારના લોકો વતી, હું પીએમ મોદી અને કેન્દ્રીય નાણાંમંત્રીનો આભાર માનું છું.
મખાનાની ખેતી કરનારા ખેડૂતોના સપના પુરાઃ મંગલ પાન્ડે
બિહારમાં મખાના બોર્ડની જાહેરાત પર બિહારના મંત્રી મંગલ પાંડેએ કહ્યું, “હું બિહારના લાખો ખેડૂતો વતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ અને કૃષિ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણનો આભાર માનું છું. આ ખેડૂતો ઘણા લાંબા સમયથી ચા બોર્ડ અને રબર બોર્ડની જેમ મખાના બોર્ડની રચનાની માંગ કરી રહ્યા હતા. તાજેતરમાં શિવરાજ સિંહ ચૌહાણ પટના આવ્યા ત્યારે અમે આ બોર્ડની રચના માટે વિનંતી કરી હતી. આજે, કેન્દ્રીય બજેટ 2025 દરમિયાન નાણામંત્રી દ્વારા કરવામાં આવેલી જાહેરાત દ્વારા મખાનાની ખેતી કરતા ખેડૂતોનું તે સ્વપ્ન પૂર્ણ થયું છે.
#WATCH | Patna, Bihar | On announcement of Makhana Board in Bihar, Bihar Minister Mangal Pandey says, "I want to thank Prime Minister Narendra Modi, Finance Minister Nirmala Sitharaman and Minister of Agriculture Shivraj Singh Chouhan on behalf of lakhs of farmers of Bihar who… pic.twitter.com/GH8Wc99kHC
— ANI (@ANI) February 1, 2025
આ પણ વાંચો
Budget 2025: ખેડૂતોને મળશે 5 લાખ સુધીની સસ્તી લૉન, બજેટમાં થઇ આ મોટી જાહેરાત
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
