આ રાહતના સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે કેટલાંય જિલ્લાઓમાંથી અહેવાલ મળી રહ્યાં હતા કે ખેડૂતોને નાણાં આપવા માટે કૉ-ઑપરેટિવ બેન્કો પાસે પૂરતી રોકડ નથી. ત્યારબાદ સરકારે બેન્કો, પોસ્ટ ઓફિસ, જિલ્લા કેન્દ્રીય કૉ-ઑપરેટિવ બેન્કોને 500-1000 રૂપિયાની જૂની નોટો ત્રીસ દિવસની અંદર આરબીઆઈમાંથી એક્સચેન્જ કરવાની મંજૂરી આપી છે.
2/4
સહકારી બેન્કોની પાસે જૂની નોટો મોટી સંખ્યામાં પડી છે, આવા કિસ્સાં ખાસ કરીને મહારાષ્ટ્રમાં વધુ સામે આવ્યા છે. બેન્કોનું કહેવું છે કે ખેડૂતોને તેના લીધે રોકડ આપી શકતા નથી. નોટબંધીના છ મહિના વીતી ગયા છતાં પણ તેમની પાસે જૂની નોટોના બંડલ પડ્યા છે, જેને તેઓ એક્સચેન્જ કરાવી શકયા નથી.
3/4
મીડિયા રિપોર્ટસના મતે નાસિકના જિલ્લા કેન્દ્રીય સહકારી બેન્ક પાસે 340 કરોડ રૂપિયાની કિંમતની જૂની 500 અને 1000 રૂપિયાની નોટો છે. આ અંગે ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કૉ-ઑપરેટિવ બેન્ક (DCCB)ના ચેરપર્સન નરેન્દ્ર દારાડે કહ્યું કે જ્યાં સુધી આ નોટોને નવી નોટોથી બદલાશે નહીં ત્યાં સુધી પેમેન્ટ કરવું મુશ્કેલ હશે. ઉલ્લેખનીય છે કે 8 નવેમ્બરના રોજ પીએમ મોદીએ 500 અને 1000 રૂપિયાની ચલણી નોટોને બંધ કરી દીધી હતી.
4/4
નવી દિલ્હીઃ 500 અને 1000 રૂપિયાની પ્રતિબંધિત નોટ સહકારી બેંકો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ)માં જમા કરાવી શકે છે. નામાં મંત્રાલયે નોટિફિકેશન જારી કરીને આ મામલે મંજૂરી આપી છે કે આવતા 30 દિવસ સુધી આરબીઆઈમાં રૂપિયા જમા કરાવી શકાશે.