શોધખોળ કરો
નોકરીયાત વર્ગને સરકાર આપશે મોટો ઝાટકો!, જાણો શું નુકસાન થશે...
1/3

નવી દિલ્હીઃ નોકરીયાત લોકોને સરકાર મોટો ઝાટકો આપી શકે છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ) પીએફ પર મળનારા વ્યાજ દરમાં ઘટાડો કરીશકે છે. મર્યાદિત સંશાધનોને કારણે આ વર્ષે ઈપીએફ પર વ્યાજ દરમાં ઘટાડો થઈ શકે છે. વિતેલા નાણાંકીય વર્ષ 2016-17 માટે ઈપીએફઓએ 8.65 ટકાના દરે વ્યાજની જાહેરાત કરી હતી. પરંતુ ચાલુ નાણાંકીય વર્ષ 2017-18 માટે તેમાં ઘટાડો કરીને 8.30 ટકા થઈ શકે છે.
2/3

ઈપીએફઓના સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર, શ્રમ મંત્રાલય તરફતી વ્યાજ દરમાં ઘટાડાને લઈને અહેવાલ તૈયાર થઈ ગયો છે. વ્યાજ દરમાં મુખ્ય રીતે બે કારણે ઘટાડો કરવામાં આવશે. પ્રથમ કારણ ઈપીએફ ખાતામાં ઈટીએફ (એક્સચેન્જ ટ્રેટેડ ફંડ) યૂનિટ સીધા જ જમા કરવામાં આવશે. બીજું મોટું કારણ છે ઈપીએફઓના રોકાણ પર થનારી આવકમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. એવામાં કર્મચારી ભવિષ્ય નિધિ પાસે હાલના વ્યાજ દરને જાળવી રાખવું મુશ્કેલ છે.
Published at : 27 Nov 2017 01:02 PM (IST)
View More























