શોધખોળ કરો
10 ટકા મોંઘો થશે રેલવે પ્રવાસ, ભાડા વધારવાની આ પાંચ રીત પર પ્રભુ કરી રહ્યા છે વિચાર
1/5

રેલવેને હાલ યાત્રી ભાડાંથી લગભગ ૪પ,૦૦૦ કરોડ રૂપિયાની આવક થાય છે. ૧૦ ટકા ભાડું વધારવામાં આવે તો વધુ ૪પ,૦૦ કરોડની વધારાની કમાણી થશે. આ પ્રસ્તાવમાં ભાડું પાંચ ટકા વધારવાની વાત છે. સેકન્ડ કલાસના યાત્રીઓ પર બોજો નાખવામાં ન આવે તેવી ભલામણ પણ તેમાં કરાઈ છે.
2/5

ફલેકસી ફેયર હટાવવાની પણ વિચારણા છે. જોકે, રેલવેને આનાથી વર્ષે લગભગ ૬૦૦ કરોડનો ફાયદો થઇ રહ્યો છે પરંતુ આના કારણે તેને લોકોની નારાજગી પણ સહન કરવી પડી છે. બોર્ડના સૂત્રોનું કહેવું છે કે ફલેકસી ફેયરને સંપૂર્ણ રીતે હટાવવામાં આવે કે પછી તેને ઘટાડવા આવે એટલે કે ૧૦ ટકા બેઠક પર ૧૦ ટકા ભાડું વધારવાને બદલે પાંચ ટકા વધારવામાં આવે. ફલેકસી ફેયર સમાપ્ત કરવામાં આવે તો તમામ પ્રકારની તમામ શ્રેણીમાં ૧૦ ટકા ભાડુ વધારવાની ભલામણ પણ છે.
Published at : 05 May 2017 06:54 AM (IST)
View More























