શોધખોળ કરો
હવે 50 હજાર રૂપિયાથી વધારેની જ્વેલરી કે સોનું ખરીદવા આપવા પડશે પુરાવા, જાણો સરકારે શું બનાવ્યો નવો નિયમ
1/5

આ નિર્દેશ બાદ મોંઘા જેમ્સ અને હાઈ વેલ્યૂ ગુડ્સ, જેનું વાર્ષિક ટર્નોવર બે કરોડથી વધારે છે તે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002 (પીએમએલએ, 2002) અંતર્ગત આવશે અને આવા ઝવેરીઓ દ્વારા રૂપિયા ૫૦,૦૦૦થી વધુનું કોઇ એક ગ્રાહકને દાગીનો વેચવામાં આવે તો તેવા કિસ્સામાં ગ્રાહકનો કેવાયસી (નો યોર કસ્ટમર) લેવું પડશે. મતલબ ગ્રાહક પાસે પૂરતા પુરાવા મેળવવાના રહેશે. જો કોઇ સંજોગોમાં ગ્રાહક પાસે ઓળખના પુરાવા નહી હોય તો તેવા કિસ્સામાં ઇન્કમટેકસ માટેનું ફોર્મ નંબર ૬૦ ભરાવવાનું રહેશે.
2/5

નવી દિલ્હી: સરકારે ખૂબ જ ચૂપકીદી ગઇ તા. ૨૩મી ઓગસ્ટના રોજ એક પરિપત્ર બહાર પાડીને ઝવેરાત ઉદ્યોગને પ્રિવેન્શનલ ઓફ મની લોન્ડરીંગ એકટ ૨૦૦૦માં સમાવી લેતા હવે રૂપિયા ૫૦,૦૦૦ કે તેથી વધુના દાગીના ખરીદનાર ગ્રાહકે ઝવેરીને સરકાર માન્ય ઓળખના પુરાવા રજૂ કરવા પડશે. જ્વેલર્સ પણ સરકારની નીતિથી પરેશાન થઇ ઉઠયા છે અને રજૂઆતનું મન બનાવી રહ્યા છે. ધ જેમ એન્ડ જ્વેલરી ફેડરેશન (જીજેએફ) દ્વારા આગામી તા. ૭મીના રોજ નાણા મંત્રાલયને આ સંદર્ભે રજૂઆત કરવામાં આવનાર છે.
Published at : 01 Sep 2017 02:03 PM (IST)
View More























