એમ-આધાર ભારતના વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ દ્વારા શરૂ કરવામાં આવેલ એક મોબાઈલ એપ છે જેના પર એક વ્યક્તિ પોતાનું આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. આ માત્ર મોબાઈલ નંબર પર જ કરી શકાય છે જે નંબર આધાર સાથે રજિસ્ટર્ડ હોય. આધાર બતાવવા માટે વ્યક્તિએ એપ ખોલવાની રહેશે અને પોતાનો પાસવર્ડ નાંખવાનો રહેશે.
2/4
રેલવેએ કહ્યું કે, પ્રવાસી દ્વારા પોતાના મોબાઈલ પર પાસવર્ડ નોંધાવ્યા બાદ બતાવવામાં આવેલ એમ આધારને ભારતીય રેલવેના કોઈપણ આરક્ષિત ક્લાસમાં પ્રવાસ કરવા માટે ઓળકના પુરાવા તરીકે માન્ય કરવામાં આવશે.
3/4
રેલવે મંત્રાલયે કોઈપણ રિઝર્વ્ડ ક્લાસમાં પ્રવાસ કરવા માટે ઓળખ માટે નક્કી પુરાવા તરીકી એમ આધાર (મોબાઈલ એપ પર આધાર કાર્ડ)ને મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે. મંત્રાલયે બુધવારે તેની જાહેરાત કરી.
4/4
નવી દિલ્હીઃ હવે ટ્રેનમાં પ્રવાસ કરતા સમયે ઓળખના પુરાવા તરીકે આધારા કાર્ડ કે અન્ય ડોક્યૂમેન્ટ રાખવાની જરૂરત નહીં રહે. મોબાઈલ ફોનમાં રહેલ એમ-આધારા જ ઓળખ માટે પુરતો છે. રેલવેએ એમ-આધારને ઓળખના પુરાવા તરીકે માન્ય કર્યો છે.