શોધખોળ કરો
નોટબંધીથી ગુજરાતમાં મકાનોના ભાવ વધશે કે ઘટશે? જાણો શું કહે છે બિલ્ડર્સ અને ડેવલપર્સ
1/6

જક્ષય શાહ (નેશનલ પ્રેસિડન્ટ,ક્રેડાઇ)- પ્રાઇમરી સેગમેન્ટમાં કોઇ ફેરફાર જોવા નહીં મળે. સેકન્ડરી માર્કેટ એટલે કે જેઓ ફ્લેટોમાં રોકાણ કર્યું છે અને વેચવા માંગે છે તેમને કદાચ જોઇએ તેવા ભાવ ન મળે. નોટબંધીથી ટૂંકાગાળામાં કરેકશન આવી શકે છે ખાસ કરીને મોટા બંગલાઓ કે મોંઘા ફ્લેટનોની સ્કિમોને અસર થઇ શકે પરંતુ એફોર્ડેબલ હાઉસિંગમાં કોઇ મંદી નથી. RERAનો કાયદો અને જીએસટી પ્રોપર્ટી માર્કેટ માટે ગેમચેન્જર સાબિત થશે. હજુ 1.50 લાખ મકાનોની માંગ છે મેન્યુફેકચરિંગ સેકટર પછી સૌથી વધુ રોજગારી રિઅલ એસ્ટેટ સેકટરમાંથી મળી રહી છે. નાના ડેવલપર્સને લેવલ પ્લેઇંગ ફિલ્ડ મળશે. તમામ પેમેન્ટ હવે ચેકથી જ થશે અને નાના ડેલવપર્સ માટે સ્ટાર્ટઅપનો જમાનો આવશે. બિલ્ડર્સ પર લોકોનો વિશ્વાસ વધશે. આમેય પ્રોપર્ટી માર્કેટમાં 80 થી 90 ટકા બાયર્સ જેન્યુઇન જ હોય છે. જેમને કોઇ વાંધો નહીં આવે. જો કે બજેટમાં સરકાર વ્યાજ દરો કેટલા ઘટાડે છે તેની પર નજર રહેશે.
2/6

પવન બકેરી (એમડી-બકેરી ગ્રુપ)- સરકારે નોટબંધી કરીને એક સારૂ પગલું ભર્યું છે પરંતુ હજુ તેને સંલગ્ન કેટલાક બીજા પગલા લેવાની પણ જરૂર છે જેનાથી રીયલ એસ્ટેટ સેકટરને બૂસ્ટ મળી શકે. ખાસ કરીને વ્યાજ દરોમાં જો આગામી છ મહિનામાં 2 ટકા જેટલો ઘટાડો થાય તો લોકો સસ્તી લોનનો ફાયદો ઉઠાવી પ્રોપર્ટીમાં રોકાણ કરી શકે. માત્ર 500 કે 1000ની નોટો પાછી ખેંચવાથી જ બધી સમસ્યા દૂર નહીં થાય.
Published at : 07 Dec 2016 12:24 PM (IST)
View More























