નવી દિલ્હીઃ રિલાયન્સે પોતાના જિઓફોનની ડિલીવરી શરૂ કરી દીધી છે અને હવે રિલાયન્સે જિઓફોને પોતાના ફીચર ફોનની રિટર્ન પોલિસીમાં ફેરફાર કર્યો છે. આ નવી પોલિસીમાં જિઓ યૂઝર્સ નક્કી સમય ત્રણ વર્ષ એટલે કે 36 મહિના પહેલા જ જિઓફોન પરત કરી શકે છે.
2/6
જ્યારે યૂઝર 12થી 24 મહિના એટલે કે એક કે બે વર્ષની વચ્ચે ફોન રિટર્ન કરે છે તો તેને 500 રૂપિયા રિફંડ મળશે જિઓ તરફથી મળશે.
3/6
ઇકોનોમિક્સ ટાઈમ્સના અહેવાલ અનુસાર જે યૂઝર પોતાનો જિઓફોન પ્રથમ વર્ષે જ રિટર્ન કરશે તેને કંપની તરફતી કોઈ રિફંડ નહીં મળે પરંતુ તેને 1500 રૂપિયા અને જીએસટી આપવાનો રહેશે.
4/6
ખાસ વાત એ છે કે હવે કંપની જિઓ ફોન 36 મહિના પહેલા જ રિફંડ આપવાની તક આપી રહી છે. જોકે જિઓ તરફતી તેની પુષ્ટિ કરવામાં આવી નથી. કંપનીના નજીકના સૂત્રોએ મીડિયાને આ જાણકારી આપી છે.
5/6
આ પહેલા કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ 21 જુલાઈના રોજ જિઓફોન લોન્ચ કર્યો ત્યારે કહ્યું હતું કે ફોન ઈફેક્ટિવ 0 રૂપિયાની કિંમત સાથે આવશે. તેના માટે શરૂઆતના સમયમાં 1500 રૂપિયા આપવાના રહેશે અને 36 મહિના બાદ આ રકમ રિફંડ મળશે.
6/6
જો કોઈ ગ્રાહક આ ફોન 24-36 મહિનાની અંદર રિટર્ન કરે છે તો તેને કંપની 1000 રૂપિયા રિફંડ આપશે. ઉપરાંત જો તમે 36 મહિના બાદ તમારો સ્માર્ટફોન રિટર્ન કરશો તો તમને 1500 રૂપિયાનું પૂરેપુરું રિફંડ મળશે.