શોધખોળ કરો
SBIમાં 27 હજાર કર્મચારીઓની નોકરી જશે, નવી ભરતીમાં પણ 50 ટકાનો ઘટાડો!
1/5

એસબીઆઇમાં હાલમાં જ છ બેંકો, બીકાનેર અને જયપુર સ્ટેટ બેંક, મૈસુર સ્ટેટ બેંક, ત્રાવણકોર સ્ટેટ બેંક, પતિયાલા સ્ટેટ બેંક, હૈદરાબાદ સ્ટેટ બેંક અને ભારતીય મહિલા બેંકનું મર્જર થયુંછે. હાલ એસબીઆઇમાં ર.૦૭ લાખ કર્મચારીઓ છે અને મર્જર બાદ આ સંખ્યા ૭૦,૦૦૦ વધી ગઈ છે. હવે કુલ કર્મચારીઓની સંખ્યા ર.૭૭ લાખ થશે.
2/5

એસબીઆઇના મહાપ્રબંધક રજનીશકુમારના કહેવા મુજબ ડિજીટલીકરણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે. આ મર્જર બાદ અમારી પાસે માનવબળ વધુ થઇ જશે. સમય સાથે કાર્યદળ પણ ઘટાડવુ પડશે અને આવતા બે વર્ષમાં અમારા સંખ્યાબળમાં ૧૦ ટકાનો કાપ મુકવો પડશે.
Published at : 27 Mar 2017 02:53 PM (IST)
View More





















