શોધખોળ કરો
ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રીએ કહ્યું- ‘માલ્યાજી’ને ચોર કહેવા યોગ્ય નથી

1/3

નવી દિલ્હીઃ બધી બાજુએથી મુશ્કેલીનો સામનો કરી રહેલ ભાગેડું લિકર કિંગ વિજય માલ્યાને ચોર કહેવા પર કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી પોતાના મત વ્યક્ત કર્યો છે. ગડકરીએ કહ્યું કે, તેમનું માનવું છે કે, એક વખત લોન ન ચકૂવવા પર વિજય માલ્યાજીને ચોર કહેવું યોગ્ય નથી. તેમણે કહ્યું કે, વિજય માલ્યા ચાર દાયકાથી નિયમિત રીતે લોન ચૂકવવાનો રેકોર્ડ છે. જોકે ગડકરીએ સ્પષ્ટતા કરી હતી કે માલ્યા સાથે જોડે તેમના કોઈ બિઝનેસ રિલેશન નથી.
2/3

ગડકરીએ એક ઇવેન્ટમાં કહ્યું કે, 40 વર્ષ માલ્યા નિયમિત ચૂકવણી કરતા રહ્યા, વ્યાજ ભરી રહ્યા હતા. 40 વર્ષ પછી જ્યારે તેમણે એવિએશનમાં ઝંપલાવ્યું ત્યારથી તેની મુશ્કેલી શરૂ થઈ અને તે એકદમર ચોર થઈ ગયો? જો 50 વર્ષ વ્યાજ ભરે છે તો બરાબર છે, પણ એક વખત ડિફોલ્ટ થઈ ગયો....તો તાત્કાલિક બધુ ફ્રોડ થઈ ગયું? આ માનસિકતા બરાબર નથી.
3/3

ગડકરીએ કહ્યું કે, તેઓ જે લોનની વાત કરે છે, તે મહારાષ્ટ્ર સરકારની સંસ્થા સિકોમ દ્વારા માલ્યાને આપવામાં આવી હતી. આ લોન 40 વર્ષ પહેલા આપવામાં આવી હતી. આ લોન માલ્યાએ સમયસર ચૂકવી હત. મંત્રીએ કહ્યું કે, કોઈ પણ વેપારમાં ઉતાર ચડાવ આવે છે, જો કોઈને મુસ્કેલી આવે છે તો તેનું સમર્થન કરવું જોઈએ.
Published at : 14 Dec 2018 07:15 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
ક્રિકેટ
બિઝનેસ
દુનિયા
Advertisement
