શોધખોળ કરો

ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?

Jaish terrorists chemical weapon plot: પાકિસ્તાની હેન્ડલર્સના સંપર્કમાં રહેલા 5 આતંકીઓ પાસેથી મસૂદ અઝહરના પત્રો મળ્યા; દેશવિરોધી પ્રવૃત્તિઓ માટે મદરેસાના યુવાનોનું કરતા હતા બ્રેઈનવોશ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગુજરાતમાંથી ઝડપાયેલા જૈશ આતંકીઓએ રાસાયણિક હુમલાનું કાવતરું ઘડ્યું.
  • પાકિસ્તાની આકાઓ પાસેથી ઝેરી ગેસ બનાવવાની પદ્ધતિ શીખ્યા હતા.
  • કાચની બરણીમાં મિશ્રણ દાટી જીવલેણ ગેસ બનાવતા હતા આતંકીઓ.
  • મદરેસાના યુવાનોનું બ્રેઈનવોશ કરીને આતંકવાદ તરફ ધકેલતા હતા.

Jaish terrorists chemical weapon plot: ગુજરાતના બનાસકાંઠાના પાલનપુર અને પાટણના સિદ્ધપુરમાંથી ઝડપાયેલા જૈશ-એ-મોહમ્મદના 13 આતંકીઓની પૂછપરછમાં અત્યંત ચોંકાવનારા ખુલાસા થયા છે. ગુજરાત ATS દ્વારા કરવામાં આવેલી તપાસમાં બહાર આવ્યું છે કે આ આતંકીઓ રાજ્યમાં કોઈ મોટો આત્મઘાતી હુમલો કરવાની ફિરાકમાં હતા. આ માટે તેઓએ જુદા જુદા પુસ્તકોના આધારે ઝેરી ગેસ (કેમિકલ વેપન) બનાવવાની નવી પદ્ધતિ વિકસાવીને હુમલો કરવાનું મોટું ષડયંત્ર રચ્યું હતું. આ ઉપરાંત, પાકિસ્તાનમાં બેઠેલા આકાઓના ઈશારે તેઓ મદરેસાના યુવાનોનું બ્રેઈનવોશ કરીને તેમને દેશવિરોધી પ્રવૃત્તિઓ અને આતંકના રવાડે ચડાવવાનું નેટવર્ક પણ ચલાવી રહ્યા હતા.

પાકિસ્તાની આકાઓના સંપર્ક અને કેમિકલ વેપનની તૈયારી

ATSની સઘન પૂછપરછમાં જાણવા મળ્યું છે કે પકડાયેલા 13 આતંકીઓમાંથી 5 આતંકીઓ સીધા જ પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલર્સ અને આતંકી સંગઠનના આકાઓના સતત સંપર્કમાં હતા. તપાસ દરમિયાન તેમની પાસેથી જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ મૌલાના અઝહર મસૂદને લખવામાં આવેલા કેટલાક ગુપ્ત પત્રો પણ મળી આવ્યા છે. આ આતંકીઓએ પાકિસ્તાની આકાઓના પુસ્તકો અને સામગ્રીઓ વાંચીને ઝેરી ગેસ બનાવવાની તાલીમ લીધી હતી. આ લોકો એક કાચની બરણીમાં છાણ, મકાઈનો લોટ, મટનના ટુકડા અને કેટલાક ઘાતક કેમિકલ્સ મિક્સ કરીને તેને 15 દિવસ સુધી જમીનની નીચે દાટી રાખતા હતા. આખી પ્રક્રિયાના અંતે બરણીની અંદર એક જીવલેણ ગેસ તૈયાર થતો હતો. જોકે, તેઓ આ ઘાતક કેમિકલ વેપનનો ઉપયોગ કયા ચોક્કસ ટાર્ગેટ પર કરવાના હતા, તે દિશામાં સુરક્ષા એજન્સીઓ હાલ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

'દાવત'ના બહાને યુવાનોનું બ્રેઈનવોશ

આ આતંકીઓ માત્ર હુમલાની તૈયારીઓ જ નહોતા કરી રહ્યા, પરંતુ યુવાનોને આતંકવાદ તરફ વાળવાનું પણ મોટું ષડયંત્ર ચલાવતા હતા. આતંકવાદી સંગઠનો તરફથી જે પણ સામગ્રી મોકલવામાં આવતી, તેના આધારે આ લોકોએ 43 જેટલી પુસ્તિકાઓ તૈયાર કરી હતી. આ પુસ્તિકાઓનું અલગ-અલગ મદરેસાઓમાં ખૂબ જ ગુપ્ત રીતે વિતરણ કરવામાં આવતું હતું. આતંકીઓ ખાસ કરીને મદરેસામાં ભણતા કિશોરો અને યુવાનોને પોતાનો શિકાર બનાવતા હતા. જે યુવાનોના વિચારોમાં તેમને ઉગ્રવાદી માનસિકતા દેખાય, તેમને 'ખાસ દાવત'ના બહાને બોલાવવામાં આવતા હતા. ત્યારબાદ તેમનું બ્રેઈનવોશ કરીને તેમને દેશવિરોધી પ્રવૃત્તિઓ અને આતંકના કાળા રસ્તે ધકેલી દેવામાં આવતા હતા.

આ પણ વાંચોઃ પાટણમાં લુખ્ખારાજ: જીલીયા ફાર્મ હાઉસ પર ગુંડાઓનો આતંક, પોલીસ ડરીને ઊભી પૂંછડીએ ભાગી!

Frequently Asked Questions

ગુજરાતમાંથી પકડાયેલા જૈશ-એ-મોહમ્મદના આતંકીઓ ક્યાંથી ઝડપાયા હતા?

ગુજરાતના બનાસકાંઠાના પાલનપુર અને પાટણના સિદ્ધપુરમાંથી કુલ 13 આતંકીઓ ઝડપાયા હતા. તેઓ રાજ્યમાં મોટો આત્મઘાતી હુમલો કરવાની ફિરાકમાં હતા.

આતંકીઓ કયા પ્રકારના હુમલાની તૈયારી કરી રહ્યા હતા?

તેઓ જુદા જુદા પુસ્તકોના આધારે ઝેરી ગેસ (કેમિકલ વેપન) બનાવવાની નવી પદ્ધતિ વિકસાવી રહ્યા હતા. આ કેમિકલ વેપનનો ઉપયોગ કરીને મોટો હુમલો કરવાનું ષડયંત્ર હતું.

આ પકડાયેલા આતંકીઓ ઝેરી ગેસ કેવી રીતે બનાવતા હતા?

તેઓ કાચની બરણીમાં છાણ, મકાઈનો લોટ, મટનના ટુકડા અને કેટલાક ઘાતક કેમિકલ્સ મિક્સ કરતા. તેને 15 દિવસ જમીનની નીચે દાટી રાખવાથી જીવલેણ ગેસ તૈયાર થતો હતો.

પકડાયેલા આતંકીઓ કોના સંપર્કમાં હતા અને અન્ય કઈ પ્રવૃત્તિઓ કરતા હતા?

13 માંથી 5 આતંકીઓ પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલર્સના સીધા સંપર્કમાં હતા. તેઓ મદરેસાના યુવાનોનું બ્રેઈનવોશ કરીને દેશવિરોધી પ્રવૃત્તિઓ તરફ વાળવાનું નેટવર્ક પણ ચલાવતા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?
ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?
Dahod News: ઝાલોદમાં સામૂહિક આત્મહત્યાથી અરેરાટી, 23 વર્ષીય માતાએ બે માસૂમ બાળકીઓ સાથે કૂવામાં ઝંપલાવ્યું
Dahod News: ઝાલોદમાં સામૂહિક આત્મહત્યાથી અરેરાટી, 23 વર્ષીય માતાએ બે માસૂમ બાળકીઓ સાથે કૂવામાં ઝંપલાવ્યું
પત્નીને પતિના પગારના કેટલા ટકા ભરણપોષણ તરીકે મળવું જોઈએ? જાણો અલ્હાબાદ હાઈકોર્ટનો આદેશ
પત્નીને પતિના પગારના કેટલા ટકા ભરણપોષણ તરીકે મળવું જોઈએ? જાણો અલ્હાબાદ હાઈકોર્ટનો આદેશ
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી
સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
અમદાવાદ ફેકટરી બ્લાસ્ટમાં ચોંકાવનારા ખુલાસા, ફેક્ટરીમાં જ ગેસ સિલિન્ડર!, બંધ કરવાના રિપોર્ટ છતાં કોઇ કાર્યવાહી નહિ
અમદાવાદ ફેકટરી બ્લાસ્ટમાં ચોંકાવનારા ખુલાસા, ફેક્ટરીમાં જ ગેસ સિલિન્ડર!, બંધ કરવાના રિપોર્ટ છતાં કોઇ કાર્યવાહી નહિ
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
Embed widget