ગુજરાતના બનાસકાંઠાના પાલનપુર અને પાટણના સિદ્ધપુરમાંથી કુલ 13 આતંકીઓ ઝડપાયા હતા. તેઓ રાજ્યમાં મોટો આત્મઘાતી હુમલો કરવાની ફિરાકમાં હતા.
ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?
Jaish terrorists chemical weapon plot: પાકિસ્તાની હેન્ડલર્સના સંપર્કમાં રહેલા 5 આતંકીઓ પાસેથી મસૂદ અઝહરના પત્રો મળ્યા; દેશવિરોધી પ્રવૃત્તિઓ માટે મદરેસાના યુવાનોનું કરતા હતા બ્રેઈનવોશ.

- ગુજરાતમાંથી ઝડપાયેલા જૈશ આતંકીઓએ રાસાયણિક હુમલાનું કાવતરું ઘડ્યું.
- પાકિસ્તાની આકાઓ પાસેથી ઝેરી ગેસ બનાવવાની પદ્ધતિ શીખ્યા હતા.
- કાચની બરણીમાં મિશ્રણ દાટી જીવલેણ ગેસ બનાવતા હતા આતંકીઓ.
- મદરેસાના યુવાનોનું બ્રેઈનવોશ કરીને આતંકવાદ તરફ ધકેલતા હતા.
Jaish terrorists chemical weapon plot: ગુજરાતના બનાસકાંઠાના પાલનપુર અને પાટણના સિદ્ધપુરમાંથી ઝડપાયેલા જૈશ-એ-મોહમ્મદના 13 આતંકીઓની પૂછપરછમાં અત્યંત ચોંકાવનારા ખુલાસા થયા છે. ગુજરાત ATS દ્વારા કરવામાં આવેલી તપાસમાં બહાર આવ્યું છે કે આ આતંકીઓ રાજ્યમાં કોઈ મોટો આત્મઘાતી હુમલો કરવાની ફિરાકમાં હતા. આ માટે તેઓએ જુદા જુદા પુસ્તકોના આધારે ઝેરી ગેસ (કેમિકલ વેપન) બનાવવાની નવી પદ્ધતિ વિકસાવીને હુમલો કરવાનું મોટું ષડયંત્ર રચ્યું હતું. આ ઉપરાંત, પાકિસ્તાનમાં બેઠેલા આકાઓના ઈશારે તેઓ મદરેસાના યુવાનોનું બ્રેઈનવોશ કરીને તેમને દેશવિરોધી પ્રવૃત્તિઓ અને આતંકના રવાડે ચડાવવાનું નેટવર્ક પણ ચલાવી રહ્યા હતા.
પાકિસ્તાની આકાઓના સંપર્ક અને કેમિકલ વેપનની તૈયારી
ATSની સઘન પૂછપરછમાં જાણવા મળ્યું છે કે પકડાયેલા 13 આતંકીઓમાંથી 5 આતંકીઓ સીધા જ પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલર્સ અને આતંકી સંગઠનના આકાઓના સતત સંપર્કમાં હતા. તપાસ દરમિયાન તેમની પાસેથી જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ મૌલાના અઝહર મસૂદને લખવામાં આવેલા કેટલાક ગુપ્ત પત્રો પણ મળી આવ્યા છે. આ આતંકીઓએ પાકિસ્તાની આકાઓના પુસ્તકો અને સામગ્રીઓ વાંચીને ઝેરી ગેસ બનાવવાની તાલીમ લીધી હતી. આ લોકો એક કાચની બરણીમાં છાણ, મકાઈનો લોટ, મટનના ટુકડા અને કેટલાક ઘાતક કેમિકલ્સ મિક્સ કરીને તેને 15 દિવસ સુધી જમીનની નીચે દાટી રાખતા હતા. આખી પ્રક્રિયાના અંતે બરણીની અંદર એક જીવલેણ ગેસ તૈયાર થતો હતો. જોકે, તેઓ આ ઘાતક કેમિકલ વેપનનો ઉપયોગ કયા ચોક્કસ ટાર્ગેટ પર કરવાના હતા, તે દિશામાં સુરક્ષા એજન્સીઓ હાલ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
'દાવત'ના બહાને યુવાનોનું બ્રેઈનવોશ
આ આતંકીઓ માત્ર હુમલાની તૈયારીઓ જ નહોતા કરી રહ્યા, પરંતુ યુવાનોને આતંકવાદ તરફ વાળવાનું પણ મોટું ષડયંત્ર ચલાવતા હતા. આતંકવાદી સંગઠનો તરફથી જે પણ સામગ્રી મોકલવામાં આવતી, તેના આધારે આ લોકોએ 43 જેટલી પુસ્તિકાઓ તૈયાર કરી હતી. આ પુસ્તિકાઓનું અલગ-અલગ મદરેસાઓમાં ખૂબ જ ગુપ્ત રીતે વિતરણ કરવામાં આવતું હતું. આતંકીઓ ખાસ કરીને મદરેસામાં ભણતા કિશોરો અને યુવાનોને પોતાનો શિકાર બનાવતા હતા. જે યુવાનોના વિચારોમાં તેમને ઉગ્રવાદી માનસિકતા દેખાય, તેમને 'ખાસ દાવત'ના બહાને બોલાવવામાં આવતા હતા. ત્યારબાદ તેમનું બ્રેઈનવોશ કરીને તેમને દેશવિરોધી પ્રવૃત્તિઓ અને આતંકના કાળા રસ્તે ધકેલી દેવામાં આવતા હતા.
આ પણ વાંચોઃ પાટણમાં લુખ્ખારાજ: જીલીયા ફાર્મ હાઉસ પર ગુંડાઓનો આતંક, પોલીસ ડરીને ઊભી પૂંછડીએ ભાગી!
Frequently Asked Questions
ગુજરાતમાંથી પકડાયેલા જૈશ-એ-મોહમ્મદના આતંકીઓ ક્યાંથી ઝડપાયા હતા?
આતંકીઓ કયા પ્રકારના હુમલાની તૈયારી કરી રહ્યા હતા?
તેઓ જુદા જુદા પુસ્તકોના આધારે ઝેરી ગેસ (કેમિકલ વેપન) બનાવવાની નવી પદ્ધતિ વિકસાવી રહ્યા હતા. આ કેમિકલ વેપનનો ઉપયોગ કરીને મોટો હુમલો કરવાનું ષડયંત્ર હતું.
આ પકડાયેલા આતંકીઓ ઝેરી ગેસ કેવી રીતે બનાવતા હતા?
તેઓ કાચની બરણીમાં છાણ, મકાઈનો લોટ, મટનના ટુકડા અને કેટલાક ઘાતક કેમિકલ્સ મિક્સ કરતા. તેને 15 દિવસ જમીનની નીચે દાટી રાખવાથી જીવલેણ ગેસ તૈયાર થતો હતો.
પકડાયેલા આતંકીઓ કોના સંપર્કમાં હતા અને અન્ય કઈ પ્રવૃત્તિઓ કરતા હતા?
13 માંથી 5 આતંકીઓ પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલર્સના સીધા સંપર્કમાં હતા. તેઓ મદરેસાના યુવાનોનું બ્રેઈનવોશ કરીને દેશવિરોધી પ્રવૃત્તિઓ તરફ વાળવાનું નેટવર્ક પણ ચલાવતા હતા.






















