Gujarat: શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય- BBA, BCA, બી.ટેક અને બીઇ કરેલા ઉમેદવારો કેવી રીતે બની શકશે શિક્ષક
શિક્ષકોની ભરતીને લઇને શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે

ગાંધીનગરઃ શિક્ષકોની ભરતીને લઇને શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. મળતી જાણકારી અનુસાર, ધોરણ 6 થી 8માં શિક્ષકોની ભરતીને લઇને શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. બીએમ હોમ સાયન્સ, બીએ ઇન્ડિયન કલ્ચર કરેલા ઉમેદવારો શિક્ષક બની શકશે. તે સિવાય બીબીએ, બીસીએ, બી.ટેક, બીઇ કરેલા ઉમેદવારો પણ શિક્ષક બની શકશે. જોકે આ માટે તમામ ઉમેદવારોએ શિક્ષક બનવા માટે ફરજિયાત ટેટની પરીક્ષા પાસ કરવી પડશે.
Ahmedabad: ગુજરાત સહિત દેશભરમાં વધી રહેલા વાયરલ ઇન્ફેક્શનના કિસ્સાને લઈને દેશના 7 નામાંકિત ડોક્ટરો દ્વારા બહાર પાડવામાં આવી ગાઈડલાઈન
અમદાવાદ: હાલના સમયમાં ગુજરાત સહિત દેશભરમાં વાયરલ ઇન્ફેક્શનના કિસ્સા દિવસ અને દિવસે વધી રહ્યા છે. એક તરફ કોરોના તો બીજી તરફ વિવિધ પ્રકારના વાયરલ ઇન્ફેક્શન એ લોકો માટે ચિંતાજનક બાબત બની છે. ત્યારે અમદાવાદની કેડી હોસ્પિટલ ખાતે નેશનલ પ્લમનોલોની અને ક્રિટિકલ કેર કોન્ફરન્સમાં અમદાવાદ સહિત દેશના સાત જેટલા નામાંકિત અને મોટા તબીબો દ્વારા કેટલીક મહત્વની ગાઈડલાઈન જારી કરવામાં આવી છે.
દિલ્હીની મેદાંતા હોસ્પિટલના અધ્યક્ષ રણદીપ ગુલેરિયાએ ખાસ વાત
એક્સપર્ટ ડોક્ટરોની ટીમ દ્વારા ડોક્ટરની સાથે સાથે દર્દીઓ માટે પણ વાયરલ ઇન્ફેક્શનના કિસ્સામાં કયા પ્રકારે તકેદારી રાખવી જોઈએ તે માટેની બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આ બાબતે એબીપી અસ્મિતા સાથે ખાસ વાત કરતા દિલ્હી AIMS ના પૂર્વ ડાયરેક્ટર અને હાલ દિલ્હીની મેદાંતા હોસ્પિટલના અધ્યક્ષ રણદીપ ગુલેરિયાએ ખાસ વાત કરી. જેમાં તમને કહ્યું કે કોરોના બાદ જોવા મળી રહેલા વાયરલ ઇન્ફેક્શન એ નવી વાત નથી પહેલા પણ આ પ્રકારના ઇન્ફેક્શન આવતા રહ્યા છે. પરંતુ આ પ્રકારના ઇન્ફેક્શનથી બચવા માટે જેવી રીતે કોરોના દરમિયાન લોકોએ કોવિડ અનુરૂપ વ્યવહાર કર્યો હતો, એટ્લે કે માસ્ક સેનિટાઈઝર અને વારંવાર હાથ ધોવા એ બાબતોની ખાસ ધ્યાન રાખવું પડશે.
એક્સપર્ટની ટીમ દ્વારા તબીબોને પણ સલાહ આપવામાં આવી
માત્ર આટલું જ નહીં પરંતુ તબીબોને પણ એક્સપર્ટની ટીમ દ્વારા તબીબોને પણ સલાહ આપવામાં આવી છે કે બિનજરૂરી એન્ટિવાયરલ દવાઓનો ઉપયોગ ન કરવામાં આવે. તો સાથે જ લોકોને પણ જાતે દવા લઈને ઇલાજ કરવો ન જોઈએ. ખાસ લોકોએ રસીકરણ પર ભાર મૂકવો જોઈએ. આવનાર દિવસોમાં એન્ટિવાયરલી પણ માર્કેટમાં આવે તો તે લેવી જોઈએ. તાવ, ગળામાં દુખાવો, વહેતું નાક, સૂકી ઉધરસ ઉપરાંત શરીરનો દુખાવો, ઝાડા, પેટમાં દુખવું વગેરે વાયરલ ઇન્ફેક્શનના લક્ષણો હોય છે. જેથી લોકોએ તબીબની સલાહ પ્રમાણે દવા લેવી જોઈએ. આ ઉપરાંત અન્ય તબીબોએ એમ પણ છેલ્લા બે વર્ષ દરમિયાન કોરોના કારણે અન્ય ઈન્ફેક્શન અથવા તો મોટા રોગના દર્દીઓની યોગ્ય સારવાર અથવા તો તેમના પ્રત્યે ધ્યાન ન આપવામાં આવ્યું હોવાથી હવે અન્ય રોગોની સારવાર પર ધ્યાન આપવા માટે પણ પ્રાધાન્ય આપવા માટે સુચવ્યું.
Education Loan Information:
Calculate Education Loan EMI
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
