![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Gujarat Politics: AAP સાથે છેડો ફાડ્યાં બાદ અલ્પેશ કથીરિયા ભાજપ નહિ પરંતુ આ સંસ્થામાં જોડાયા
અલ્પેશ કથીરિયાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામુ આપ્યું બાદ કહ્યું હતું કે, કોઈ મનદુ:ખ નથી. સામાજિક કાર્યો પર ધ્યાન આપવાને લઈ રાજીનામું આપ્યું છે.
![Gujarat Politics: AAP સાથે છેડો ફાડ્યાં બાદ અલ્પેશ કથીરિયા ભાજપ નહિ પરંતુ આ સંસ્થામાં જોડાયા After left AAP, Alpesh Kathiria joine khodaldham santha but not join BJP Gujarat Politics: AAP સાથે છેડો ફાડ્યાં બાદ અલ્પેશ કથીરિયા ભાજપ નહિ પરંતુ આ સંસ્થામાં જોડાયા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/19/36f6ef181492aa58eb907258f61a1bca171350370170781_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Gujarat Politics:AAP છોડી અલ્પેશ કથિરીયા સામાજિક સંસ્થામાં જોડાયા છે. ખોડલધામ સુરત જિલ્લા સમિતિના કન્વીનર તરીકે અલ્પેશ કથિરીયાની નિમણુંક થઇ છે. લેઉવા પાટીદારોની સૌથી મોટી સામાજિક ખોડલધામ સંસ્થામાં સેવા આપવાનો તેમણે નિર્ણય લીધો છે. તેમણે આ સાથે એ પણ સ્પષ્ટતા કરી છે કે તેઓ હાલ કોઈ રાજકીય પક્ષ સાથે નહીં જોડાય. ખોડલધામ સુરત જિ.સમિતિના કન્વીનર તરીકે અલ્પેશ કથિરીયાની નિમણુંક કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, ખોડલધામ લેઉવા પાટીદારોની સૌથી મોટી સામાજિક સંસ્થા છે.
ઉલ્લેખનિય છે કે, આમ આદમી પાર્ટીને લોકસભા ચૂંટણી અગાઉ ગુજરાતમાં મોટો ઝટકો લાગ્યો હતો. પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાએ આમ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. તાજેતરમાં જ આપ પાર્ટીએ અલ્પેશને સ્ટાર પ્રચારક બનાવ્યા હતા. અલ્પેશ કથીરિયા બાદ ધાર્મિક માલવિયાએ પણ આપમાંથી રાજીનામું આપી દીધું છે. તેઓએ આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીને રાજીનામું મોકલ્યું હતું. અલ્પેશ 2022માં વરાછા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. કુમાર કાનાણી સામે અલ્પેશ કથીરિયાની હાર થઇ હતી.
AAP છોડ્યા બાદ શું કહ્યું ?
અલ્પેશ કથીરિયાએ કહ્યું હતું કે, કોઈ મનદુ:ખ નથી. સામાજિક કાર્યો પર ધ્યાન આપવાને લઈ રાજીનામું આપ્યું છે. ધાર્મિક માલવિયા ઓલપાડ બેઠકથી વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. મુકેશ પટેલ સામે ધાર્મિક માલવિયાની હાર થઇ હતી. ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે, મને કોઇ જાણકારી મળી નથી.
રાજીનામાને લઇને અલ્પેશ કથીરિયાએ કહ્યું હતું કે, કોઈ નારાજગી નથી. સામાજિક કાર્યો પર ધ્યાન આપવા રાજીનામું આપ્યું છે. ભાજપમાં જોડાવવાની ચર્ચા પર અલ્પેશ કથીરિયાએ કહ્યું હતું કે લોકોને મળીશ, ચર્ચા કર્યા બાદ નિર્ણય લઈશ. હું મારી ટીમને મળીશ, દરેકના અભિપ્રાય લઈને નિર્ણય કરીશ. સમાજ જે કહેશે તે કરીશ.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)