તેણે પોતાના છેલ્લા ઈન્ટરવ્યૂમાં પણ ખુલાસો કર્યો છે કે તે પોતાને આ રોલ માટે પરફેક્ટ માને છે. હવે શાહરૂખ ખાનના ખુલાસા બાદ લાગી રહ્યું છે કે આમિરને પોતાની પસંદગીનો રોલ મળી ગયો છે. આમિર ખાન મહાભારતને ભારતની સારી ફિલ્મ બનાવવા માંગે છે.
2/3
મુંબઈ: બોલીવૂડના મિસ્ટર પરફેક્ટનિસ્ટ આમિર ખાનની ફિલ્મ ઠગ્સ ઓફ હિંદોસ્તાન ભલે બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી, પરંતુ તેણે પોતાના કરિયરને નુકશાન નથી થવા દિધું. આમિર ખાન હવે પોતાના મુખ્ય પ્રોજેક્ટ મહાભારત પર કામ કરી રહ્યો છે.
3/3
ઈન્ડસ્ટ્રીમાં તેની ચર્ચા છેલ્લા ધણા સમયથી ચાલી રહી છે, પરંતુ હવે શાહરૂખ ખાને ફિલ્મને લઈને નવા ખુલાસા કર્યા છે જેને સાંભળ્યા બાદ ફેન્સની અંદર ફિલ્મ માટે ઉત્સાહ વધી રહ્યો છે. શાહરૂખ ખાને ખુલાસો કર્યો છે કે મહાભારતમાં તેને કૃષ્ણની ભૂમિકા નિભાવવાની છે, પરંતુ ફિલ્મમાં પહેલાથી જ આમિર ખાન કૃષ્ણનો રોલ કરી રહ્યો છે, એવામાં હવે તે આ ભૂમિકા નહી કરી શકે. આમિર ખાને પણ હંમેશા કૃષ્ણની ભૂમિકા નિભાવવાની ઈચ્છા જાહેર કરી હતી, કારણ કે તેની માતા પણ તેને આ નામથી જ બોલાવે છે.