શોધખોળ કરો
Advertisement
બોલિવૂડનો આ સ્ટાર એક્ટર છોડશે કેનેડાની નાગરિકતા, ભારતીય પાસપોર્ટ માટે કરી અરજી
અક્ષય કુમાર એક ઇવેન્ટમાં કરીના કપૂર સાથે પહોંચ્યા હતો.
મુંબઈઃ અંદાજે સાત વર્ષ પહેલા ભારતની નાગરિકતા છોડીને કેનેડાની નાગરિકતા અપનાવનાર એક્ટર અક્ષય કુમારે જાહેરાત કરી છે કે તે કેનેડાની નાગરિકાત છોડવા જઈ રહ્યા છે અને તેણે ભારતીય પાસપોર્ટ માટે અરજી કરી છે. અક્ષય કુમારે આ ખુલાસો શુક્રવારે જાણીતા અખબારના શિખર સમ્મેલનમાં કર્યો.
અક્ષય કુમાર એક ઇવેન્ટમાં કરીના કપૂર સાથે પહોંચ્યા હતો. અક્ષયને આ ઇવેન્ટ દરમિયાન પૂછવામાં આવ્યું કે જ્યારે તેઓ દેશભક્તિ અને ભારતીય આર્મ્ડ ફોર્સ વિશે વાત કરે છે. ત્યારે ઘણીવાર લોકો પૂછતા હોય છે કે, તેઓની પાસે ભારતનો પાસપોર્ટ નથી અને ન તેઓ વોટ કરે છે. એવામાં અક્ષય કુમારને કેવુ લાગે છે?
અક્ષય કુમારે ખુલાસો કર્યો છે કે, તેઓએ ભારતીય પાસપોર્ટ બનાવવાની અરજી આપી છે. હું એક ભારતીય છું અને મને એ વાત પર દુ:ખ થાય છે કે મને હંમેશા આ વાત સાબિત કરવા માટે કહેવામાં આવે છે. મારી પત્ની, મારા બાળકો તમામ ભારતીય છે. હું અહીં ટેક્સ ભરું છું અને મારી જિંદગી અહીં છે.
તેઓને કેનાડાની નાગરિકતા કેવી રીતે મળી, આ સવાલ પર અક્ષય કુમારે જણાવ્યું કે, તેમની શરૂઆતમાં આવેલી 14 ફિલ્મો ફ્લોપ થઇ ગઇ હતી. અને તેઓને લાગતુ હતું કે તેની કારકિર્દી ખત્મ થઈ ગઈ છે. તેમના એક મિત્રે તેઓને કેનાડા આવીને પોતાની સાથે કામ કરવા કહ્યું હતું. ત્યારબાદ અક્ષયે કેનાડાનો પાસપોર્ટ બનાવવાની અરજી આપી હતી. જોકે, તેમની 15મી ફિલ્મે સારી કમાણી કરી અને ત્યારબાદ અક્ષય કુમારે ક્યારેય પાછળ વળીને નથી જોયું.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મહેસાણા
ક્રાઇમ
દુનિયા
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion