ઉલ્લેખનિય છે કે કાલે સાંજે 5.20 વાગ્યે તેમનું નિધન થયું હતું. આ સમાચાર મળતા બોલીવુડ શોકમાં ગરકાવ થયું હતું. શશિ કપૂર 79 વર્ષના હતા અને છેલ્લા ધણા વર્ષોથી તેઓને કિડનીની બિમારી હતી.
4/7
5/7
નવી દિલ્લી: આજે રાજકીય સમ્માન સાથે દિગ્ગજ ફિલ્મ અભિનેતા શશિ કપૂરના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અંતિમ સંસ્કાર પહેલા મુંબઈ પોલીસે તેમના પાર્થિવ દેહને તિરંગામાં લપેટી સલામી આપી હતી. મુંબઈના સાતાંક્રૂજ હિંદુ સ્મશાનઘાટમાં અભિનેતાને અંતિમ વિદાય આપવા કપૂર પરિવારની સાથે અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, સંજય દત્ત, સૈફ અલી ખાન, અનિલ કપૂર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
6/7
શશિ કપૂરને 2011માં પદ્મ ભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. આ જ કારણથી અંતિમ સંસ્કારમાં શશિ કપૂરને ત્રણવાર બંદૂકથી સલામી આપવામાં આવી હતી. આ સિવાય બેન્ડથી સલામી આપવામાં આવી હતી. આટલું જ નહીં નાની એવી પરેડ પણ કરવામાં આવી હતી.
7/7
કોકિલાબેન હોસ્પિટલથી શશિ કપૂરનો પાર્થિવ દેહ પૃથ્વી થિયેટરની બાજુમાં આવેલા તેમના ઘરે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાંથી તેમની અંતિમ યાત્રા નીકળી હતી. વરસતા વરસાદમાં બોલિવૂડ સેલેબ્સ આ અંતિમ યાત્રામાં સામેલ થયા હતાં.