શોધખોળ કરો

સુશાંત મૃત્યુ કેસમાં રિયા પર કેસ નોંધાવવાનું આ છે અસલી કારણ, આમની દખલગીરી બાદ ફાઇલ થઇ FIR

એબીપી ન્યૂઝને મળેલી માહિતી અનુસાર કેકે સિંહ અને પરિવાર દ્વારા સીએમ નીતિશ કુમારનો સંપર્ક સાધવામાં આવ્યો હતો,ત્યારબાદ આ મામલાને લીલી ઝંડી મળી છે. સીએમ ઓફિસમાંથી મળેલી લીલી ઝંડી બાદ જ ખાસ પરિસ્થિતિઓમાં બિહારમાં એફઆઇઆર નોંધવામાં આવી છે

પટનાઃ સુશાંત સિંહ રાજપૂતના મોતને લઇને એકબાજુ આરોપોનો સિલસિલો યથાવત છે, ત્યારે આમાં બીજા એક મોટા સમાચાર સામે આવ્યા છે. સુશાંત સિંહ રાજપૂત કેસમાં બિહાર સરકારની મોટી દખલગીરી બાદ કેસ નોંધાયો છે. સુશાંતના પિતા કેકે સિંહ દ્વારા જે એફઆઇઆર નોંધાવવામાં આવી છે, તે સીએમ ઓફિસની દખલ બાદ થઇ છે. એબીપી ન્યૂઝને મળેલી માહિતી અનુસાર કેકે સિંહ અને પરિવાર દ્વારા સીએમ નીતિશ કુમારનો સંપર્ક સાધવામાં આવ્યો હતો,ત્યારબાદ આ મામલાને લીલી ઝંડી મળી છે. સીએમ ઓફિસમાંથી મળેલી લીલી ઝંડી બાદ જ ખાસ પરિસ્થિતિઓમાં બિહારમાં એફઆઇઆર નોંધવામાં આવી છે. ખરેખરમાં, કાયદેસર રીતે એફઆઇઆર ત્યાં જ નોંધવામાં આવે છે, જે પોલીસ સ્ટેશનની હદમાં ગુનો કે ઘટના ઘટી હોય. આવામાં સુશાંત આત્મહત્યા કેસ મુંબઇના બ્રાંદ્રા પોલીસ સ્ટેશનની હદમાં આવે છે. મુંબઇ પોલીસ આ મામલે સતત તપાસ કરી રહી છે. પરંતુ હવે ખાસ પરિસ્થિતિઓનો હવાલો આપતા સુશાંતના પિતા કેકે સિંહ દ્વારા બિહારમાં આ મામલાને લઇને કેસ નોંધાવવામાં આવ્યો છે. સુશાંત મૃત્યુ કેસમાં રિયા પર કેસ નોંધાવવાનું આ છે અસલી કારણ, આમની દખલગીરી બાદ ફાઇલ થઇ FIR
કેકે સિંહે 25 જુલાઇએ બિહારના રાજીવનગર પોલીસ સ્ટેશનમાં જે એફઆઇઆર નોંધાવી છે, તેમાં તેમને રિયા ચક્રવર્તી સહિત આખા પરિવાર પર આરોપો લગાવ્યા છે. બિહારમાં નોંધાયેલી એફઆઇઆર નંબર 241/20 કેસમાં રિયા ચક્રવર્તી સહિત કુલ છ લોકોના નામ સામેલ છે. આ લોકો વિરુદ્ધ આઇપીસીની કલમ 340, 341, 342, 380, 406, 420 અને 306 અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે. સુશાંતના પિતાએ રિયા ચક્રવર્તી ઉપરાંત ઇન્દ્રજીત ચક્રવર્તી, સંધ્યા ચક્રવર્તી, શોવિક ચક્રવર્તી, સેમુઅલ મિરિંડા, શ્રુતિ મોદી અને અન્ય વિરુદ્ધ છેતરપિંડી, બેઇમાની, બંધક બનાવીને રાખવા, અને આત્મહત્યા માટે મજબૂર કરવાનો આરોપ લગાવ્યો છે. નોંધનીય છે કે, સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને પોતાના મુંબઇ સ્થિત બ્રાંદ્રા વાળા ઘરે આત્મહત્યા કરી લીધી હતી. ત્યારબાદ સતત આ કેસમાં સીબીઆઇ તપાસની માંગ ઉઠી રહી છે. સુશાંત મૃત્યુ કેસમાં રિયા પર કેસ નોંધાવવાનું આ છે અસલી કારણ, આમની દખલગીરી બાદ ફાઇલ થઇ FIR
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મધ્યપ્રદેશના જબલપુરમાં મોટી દુર્ઘટના, ક્રૂઝ શિપ પાણીમાં ડૂબી જતા 4 ના મોત, 31 લોકો હતા સવાર 
મધ્યપ્રદેશના જબલપુરમાં મોટી દુર્ઘટના, ક્રૂઝ શિપ પાણીમાં ડૂબી જતા 4 ના મોત, 31 લોકો હતા સવાર 
Ahmedabad Accident: ધોળકા-બગોદરા હાઈવે પર કારનો ભયંકર અકસ્માત, 4 લોકોના મોત
Ahmedabad Accident: ધોળકા-બગોદરા હાઈવે પર કારનો ભયંકર અકસ્માત, 4 લોકોના મોત
સોનું થઈ ગયું ₹2000 પ્રતિ 10 ગ્રામ મોંઘુ, ચાંદીના ભાવમાં પણ ફેરફાર, જાણી લો લેટેસ્ટ કિંમત
સોનું થઈ ગયું ₹2000 પ્રતિ 10 ગ્રામ મોંઘુ, ચાંદીના ભાવમાં પણ ફેરફાર, જાણી લો લેટેસ્ટ કિંમત
Ambalal patel: કાળઝાળ ગરમી વચ્ચે અંબાલાલ પટેલની વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal patel: કાળઝાળ ગરમી વચ્ચે અંબાલાલ પટેલની વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણી પહેલા ઝેર, પરિણામ પછી પ્રેમ
Hun To Bolish : હું તો બોલીશ : આવો આઈસક્રીમ લાવશે એટેક!
Hun To Bolish : હું તો બોલીશ : બંગાળમાં કોનું રાજ ?
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિના 4 એક્કા
Dabhoi Congress : ડભોઈ પાલિકાના કોંગ્રેસના 21 નગર સેવકોને અજ્ઞાત સ્થળે ખસેડાયા, ભાંગફોડનો ડર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મધ્યપ્રદેશના જબલપુરમાં મોટી દુર્ઘટના, ક્રૂઝ શિપ પાણીમાં ડૂબી જતા 4 ના મોત, 31 લોકો હતા સવાર 
મધ્યપ્રદેશના જબલપુરમાં મોટી દુર્ઘટના, ક્રૂઝ શિપ પાણીમાં ડૂબી જતા 4 ના મોત, 31 લોકો હતા સવાર 
Ahmedabad Accident: ધોળકા-બગોદરા હાઈવે પર કારનો ભયંકર અકસ્માત, 4 લોકોના મોત
Ahmedabad Accident: ધોળકા-બગોદરા હાઈવે પર કારનો ભયંકર અકસ્માત, 4 લોકોના મોત
સોનું થઈ ગયું ₹2000 પ્રતિ 10 ગ્રામ મોંઘુ, ચાંદીના ભાવમાં પણ ફેરફાર, જાણી લો લેટેસ્ટ કિંમત
સોનું થઈ ગયું ₹2000 પ્રતિ 10 ગ્રામ મોંઘુ, ચાંદીના ભાવમાં પણ ફેરફાર, જાણી લો લેટેસ્ટ કિંમત
Ambalal patel: કાળઝાળ ગરમી વચ્ચે અંબાલાલ પટેલની વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal patel: કાળઝાળ ગરમી વચ્ચે અંબાલાલ પટેલની વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
New Rules From May 1: બેંકિંગથી લઈ રસોઈ ગેસ અને પગાર સુધી, બદલાઈ જશે આ નિયમ, તમારા ખિસ્સા પર સીધી અસર 
New Rules From May 1: બેંકિંગથી લઈ રસોઈ ગેસ અને પગાર સુધી, બદલાઈ જશે આ નિયમ, તમારા ખિસ્સા પર સીધી અસર 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામ પહેલા મમતા બેનર્જીનો મોટો દાવો, કહ્યું-'226 થી વધુ બેઠકો જીતીશું'
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામ પહેલા મમતા બેનર્જીનો મોટો દાવો, કહ્યું-'226 થી વધુ બેઠકો જીતીશું'
Delhi weather: દિલ્હી-નોઈડામાં અચાનક વાતાવરણમાં પલટો, ભારે તોફાન અને કરા સાથે વરસાદ 
Delhi weather: દિલ્હી-નોઈડામાં અચાનક વાતાવરણમાં પલટો, ભારે તોફાન અને કરા સાથે વરસાદ 
Gold Silver: ચાંદીમાં ₹3400 નો ઉછાળો, સોનાના ભાવ પણ વધ્યા, જાણો 24 કેરેટની લેટેસ્ટ કિંમત 
Gold Silver: ચાંદીમાં ₹3400 નો ઉછાળો, સોનાના ભાવ પણ વધ્યા, જાણો 24 કેરેટની લેટેસ્ટ કિંમત 
Embed widget