શોધખોળ કરો

Bollywood : અભિનેતા સતીશ કૌશિક સાથે શું ઘટેલું ને કેવી રીતે થયું હતું મૃત્યું? થયો ખુલાસો

દિલ્હી પોલીસના રિપોર્ટ અનુસાર, સતીશ કૌશિકના મૃત્યુનું કારણ કાર્ડિયાક અરેસ્ટ હતું. રિપોર્ટમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે, કૌશિકને હાઈપરટેન્શન અને સુગરનો મેડિકલ હિસ્ટ્રી હતો.

Satish Kaushik Death : બોલિવૂડના દિગ્ગજ કલાકાર સતીશ કૌશિકના મૃત્યુના કેસમાં દિલ્હી પોલીસને વિગતવાર પોસ્ટ મોર્ટમ રિપોર્ટ મળ્યો છે. આ રિપોર્ટમાં તેમના મૃત્યુનું કારણ બહાર આવ્યું છે. અગાઉ અભિનેતા સતીશ કૌશિકના મૃત્યુંને લઈને આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. સતીશ કૌશિકનું ખરેખર કુદરતી મૃત્યું હતું કે કંઈક બીજું તેને લઈને સવાલ ઉભા થયા હતાં. જેનો આજે દિલ્હી પોલીસે ખુલાસો કર્યો છે. 

દિલ્હી પોલીસના રિપોર્ટ અનુસાર, સતીશ કૌશિકના મૃત્યુનું કારણ કાર્ડિયાક અરેસ્ટ હતું. રિપોર્ટમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે, કૌશિકને હાઈપરટેન્શન અને સુગરનો મેડિકલ હિસ્ટ્રી હતો. અત્યાર સુધીની તપાસમાં કોઈ શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુના પુરાવા મળ્યા નથી. કૌશિકનું પોસ્ટમોર્ટમ ચાર ડોક્ટરોની પેનલ દ્વારા કરવામાં આવ્યું હતું, જેની વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી પણ કરવામાં આવી હતી.

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું હતું જે ધમનીમાં બ્લોકેજને કારણે થયું હતું. મૃત્યુનું કારણ કુદરતી હોવાનું જણાય છે. વિસેરા સાચવવામાં આવ્યો છે. કૌશિક દિલ્હીમાં એક મિત્રના ઘરે હતો ત્યારે તેણે અસ્વસ્થતાની ફરિયાદ કરી હતી. દિલ્હીની દીન દયાલ ઉપાધ્યાય હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ બાદ કૌશિશના મૃતદેહને વિમાનમાં મુંબઈ લઈ જવામાં આવ્યો હતો. સાંજે લગભગ 6.30 વાગ્યે મૃતદેહને મુંબઈ એરપોર્ટથી વર્સોવામાં તેમના નિવાસસ્થાને લઈ જવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે દિલ્હી પોલીસે એ ફાર્મહાઉસમાંથી કેટલીક દવાઓ મળી આવી છે જ્યાં અભિનેતા-ફિલ્મ નિર્માતા સતીશ કૌશિક એક પાર્ટીમાં સામેલ થયા હતા. તેના એક જ દિવસ બાદ અભિનેતાનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું.

66 વર્ષીય અભિનેતા સતીશ કૌશિકનું ગુરુગ્રામની હોસ્પિટલમાં લઈ જતી વખતે ગુરુવારે સવારે હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું. બુધવારે રાત્રે તેમની તબિયત બગડી હતી અને તેમને દિલ્હીની બાજુમાં આવેલા ગુરુગ્રામની ફોર્ટિસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડૉક્ટરોએ જણાવ્યું હતું કે, હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેમનું મૃત્યુ થઈ ગયું હતું. અધિકારીઓએ જણાવ્યું કે પાર્ટીમાં આવનાર મહેમાનોની યાદી પણ તૈયાર કરવામાં આવી છે.

"તેરે નામ" અને "મુઝે કુછ કહેના હૈ" જેવી ફિલ્મોનું નિર્દેશન કરનાર કૌશિકના પરિવારમાં પત્ની શશી અને પુત્રી વંશિકા છે.

Satish Kaushik: મોત મામલે નવો ખુલાસો, ફાર્મ હાઉસ પર મળી કેટલીક આ પ્રકારની દવાઓ

સતીશ કૌશિકના અચાનક  નિધનના સમાચારથી લોકો સ્તબ્ધ થઇ ગયા હતા.  દિલ્હી પોલીસે આ મામલે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સતીશ કૌશિકનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયું હતું.તેમના ફાર્મ હાઉસ પર કેટલીક દવાઓ મળી આવી છે.

બોલિવૂડના બહુમુખી પ્રતિભાશાળી અભિનેતા-દિગ્દર્શક સતીશ કૌશિકનું ભૂતકાળમાં અચાનક અવસાન થયું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે, સતીશનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતું. ત્યારે આ મામલે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર સતીશ કૌશિકનું મોત શંકાસ્પદ સંજોગોમાં થયું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
Embed widget