![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Aishwarya’s Post:શું પતિ અભિષેકથી અલગ થઇ રહી છે ઐશ્વર્યા, અભિનેત્રીની આ પોસ્ટના કારણે ઉઠ્યાં સવાલ
છેલ્લા ઘણા સમયથી ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન વચ્ચે મતભેદ હોવાના અહેવાલો આવી રહ્યા છે. હવે અભિનેત્રીની એક પોસ્ટે આ અફવાઓને વધુ બળ આપ્યું છે.
![Aishwarya’s Post:શું પતિ અભિષેકથી અલગ થઇ રહી છે ઐશ્વર્યા, અભિનેત્રીની આ પોસ્ટના કારણે ઉઠ્યાં સવાલ Is Aishwarya getting separated from her husband Abhishek, questions arose due to this post of the actress Aishwarya’s Post:શું પતિ અભિષેકથી અલગ થઇ રહી છે ઐશ્વર્યા, અભિનેત્રીની આ પોસ્ટના કારણે ઉઠ્યાં સવાલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/22/2fd64bde358f6e51d4beb59c1efaca43170065855415181_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Aishwarya’S Post:ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન વચ્ચે ઘણા સમયથી અણબનાવ હોવાના અહેવાલો છે. જો કે બંનેએ આ અંગે ક્યારેય કોઈ પ્રતિક્રિયા આપી નથી. પરંતુ સોશિયલ મીડિયા પર એવી ચર્ચા છે, કે, ઐશ અને અભિષેકનું લગ્ન જીવન સારું નથી ચાલી રહ્યું. હવે અભિનેત્રીની એક પોસ્ટે આ અફવાઓને વધુ બળ આપ્યું છે.
ઐશ્વર્યાની આ પોસ્ટે અભિષેક બચ્ચન સાથેના મતભેદોને વેગ આપ્યો હતો
હકીકતમાં, તાજેતરમાં ઐશ્વર્યા રાય બચ્ચને તેના ઇન્સ્ટાગ્રામ પર તેના દિવંગત પિતા કૃષ્ણરાજ રાયને તેની જન્મજયંતિ પર યાદ કરતા તસવીરો પોસ્ટ કરી હતી. રસપ્રદ વાત એ છે કે એશે તેની પુત્રી આરાધ્યા અને તેના દિવંગત પિતાની એક તસવીર શેર કરી છે. તેણે તેના પિતા સાથે પોતાની એક તસવીર પણ શેર કરી છે અને અન્ય એક ફોટોમાં તે તેની માતા અને પુત્રી સાથે જોવા મળી રહી છે જ્યારે બેકગ્રાઉન્ડમાં તેના પિતાનો ફોટો દિવાલ પર લટકેલો છે અને તેના પર માળા પણ જોવા મળી રહી છે. પરંતુ જે વાતે બધાનું ધ્યાન ખેંચ્યું તે એ હતું તે એ હતું કે, એશે અભિષેક સાથે કોઈ તસવીર શેર કરી નથી.
આ તસવીરો શેર કરતી વખતે ઐશ્વર્યાએ કેપ્શનમાં લખ્યું, 'લવ યુ ઓલવેઝ, ડિયરસ્ટ ડિયર ડેડી-અજા. સૌથી પ્રેમાળ, દયાળુ, સંભાળ રાખનાર, સ્ટ્રોન્ગ અને સાથે ઉદાર અને ઉમદા... તમારા જેવું કોઈ નથી... ક્યારેય કોઇ નહી હોય. તમારા જન્મદિવસ માટે શુભેચ્છાઓ! સ્મરણાર્થે પ્રાર્થના. અમે તમને ખૂબ યાદ કરીએ છીએ.
ઐશ-અભિષેક વચ્ચેના મતભેદોને લઈને ચર્ચા ચાલી રહી છે
ઐશ્વર્યાએ આ તસવીરો પોસ્ટ કરતાની સાથે જ અભિષેક બચ્ચન સાથે તેના અલગ થવાની ચર્ચા પણ શરૂ થઈ ગઈ હતી. એક યુઝરે લખ્યું, 'ડિયર એશ.. તમે આરાધ્યા અને અભિષેક સાથે ક્યારેય ફોટો કેમ નથી લેતા.. તમારા પરિવારના બહુ ઓછા ફોટા છે, તો શું તેનો અર્થ એ છે કે તમે લોકો અલગ થઈ ગયા છો..?'
બચ્ચન પરિવારમાં ઝઘડાની અફવાઓ પેરિસ ફેશન વીકથી ચર્ચામાં છે જ્યારે ઐશ્વર્યા અને નવ્યા નવેલી નંદા એકસાથે જોવા મળ્યા ન હતા. તાજેતરમાં, એશે અમિતાભ બચ્ચન માટે જન્મદિવસની પોસ્ટમાં જયા અને શ્વેતા બચ્ચનને પણ અવગણ્યા હતા. જો કે, આ માત્ર અફવાઓ છે અને તેની કોઈ પુષ્ટિ નથી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)