શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
નવાઝુદ્દીનની ફિલ્મની કઈ ડિરેક્ટરે દર્શકોને પોતાની જ ફિલ્મ નહીં જોવા કહ્યું? કારણ જાણીને ચોંકી જશો
નવાઝુદ્દીન સિદ્દીકી અને અથિયા શેટ્ટી સ્ટારર ‘મોતીચૂર ચકનાચૂર’ની ડિરેક્ટર દેબમિત્રા બિસ્વાલનું કહેવું છે કે પ્રૉડ્યૂસર રાજેશ ભાટિયાએ આ ફિલ્મની સ્ટોરીલાઇન બદલાવીને ફિલ્મને ખતમ કરી નાંખી છે
![નવાઝુદ્દીનની ફિલ્મની કઈ ડિરેક્ટરે દર્શકોને પોતાની જ ફિલ્મ નહીં જોવા કહ્યું? કારણ જાણીને ચોંકી જશો motichoor chaknachoor director debamitra big statement on film producer નવાઝુદ્દીનની ફિલ્મની કઈ ડિરેક્ટરે દર્શકોને પોતાની જ ફિલ્મ નહીં જોવા કહ્યું? કારણ જાણીને ચોંકી જશો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/11/20102644/Chaknachoor-03.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઇઃ બૉલીવુડમાં ફરી એકવાર પ્રૉડ્યૂસર અને ડિરેક્ટર વચ્ચેનો વિખવાદ સામે આવ્યો છે. તાજેતરમાંજ રિલીઝ થયેલી ફિલ્મ ‘મોતીચૂર ચકનાચૂર’ને લઇને આ વિવાદ ઉભો થયો છે. ફિલ્મની ડિરેક્ટર દેબમિત્રાએ દર્શકોને પોતાની આ ફિલ્મ ના જોવા માટે અપીલ કરી છે.
નવાઝુદ્દીન સિદ્દીકી અને અથિયા શેટ્ટી સ્ટારર ‘મોતીચૂર ચકનાચૂર’ની ડિરેક્ટર દેબમિત્રા બિસ્વાલનું કહેવું છે કે પ્રૉડ્યૂસર રાજેશ ભાટિયાએ આ ફિલ્મની સ્ટોરીલાઇન બદલાવીને ફિલ્મને ખતમ કરી નાંખી છે.
પ્રોડ્યૂસરે આ વર્ષે માર્ચમાં જ ક્રિએટિવ ડિફરન્સનું કારણ આપીને દેબમિત્રા સહિત યુનિટના ઘણા મેમ્બર્સને ફિલ્મમાંથી હાંકી કાઢ્યા હતા, બાદમા ઓક્ટોબરે દેબમિત્રાએ ભાટિયાએ પ્રૉડ્યૂસર પર અપશબ્દો બોલવાનો સનસની આરોપ પણ લગાવ્યો હતો. હવે ફિલ્મ રિલીઝ થઇ છે ત્યારે દેબમિત્રાએ લોકોને આ ફિલ્મ ના જોવા માટે ખુલ્લી અપીલ કરી છે, કેમકે તે સ્ટૉરી લાઇનથી સંતુષ્ટ નથી.
સ્પોટબોય સાથેની વાતચીત દરમ્યાન દેબમિત્રાએ કહ્યું કે, ‘મને ફિલ્મ ત્યારે બતાવવામાં આવી જ્યારે કોર્ટે ભાટિયાને નોટિસ ફટકારી અને તેમને ડિરેક્ટરને મને બતાવવા માટે કહ્યું હતુ. મેં વિચાર્યું કે હે ભગવાન આ તેમણે શું બનાવી દીધું. ફિલ્મની ડિરેક્ટર તો તે જ છે એમાં કોઈ શંકા નથી પણ તેમણે અમુક ભાગ કટ કરીને બિનજરૂરી શૉટ જોડી દીધા છે. ફિલ્મમાં કઈ બચ્યુ નથી. આ સી ગ્રેડ ભોજપુરી ફિલ્મ જેવી લાગી રહી છે.’
![નવાઝુદ્દીનની ફિલ્મની કઈ ડિરેક્ટરે દર્શકોને પોતાની જ ફિલ્મ નહીં જોવા કહ્યું? કારણ જાણીને ચોંકી જશો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/11/20102632/Chaknachoor-01-300x225.jpg)
![નવાઝુદ્દીનની ફિલ્મની કઈ ડિરેક્ટરે દર્શકોને પોતાની જ ફિલ્મ નહીં જોવા કહ્યું? કારણ જાણીને ચોંકી જશો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/11/20102638/Chaknachoor-02-300x185.jpg)
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
સમાચાર
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)