શોધખોળ કરો

Bollywood : ...તો તાજ મહેલ અને લાલ કિલ્લો તોડી નાખો : નસીરુદ્દીન શાહે છેડ્યો વિવાદ

એક ખાસ વાતચીતમાં નસીરુદ્દીન શાહે કહ્યું હતું કે, જ્યાં લોકો પાસે ઈતિહાસ વિશે સાચી માહિતી અને સાચી દલીલો નથી ત્યાં નફરત અને ખોટી માહિતીનું સામ્રાજ્ય છે.

Naseeruddin Shah Controversial Statement: બોલિવુડ અભિનેતા નસીરુદ્દીન શાહ જેટલો મશહુર છે તેટલો જ અવારનવાર પોતાના બેફામ નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. ફરી એકવાર અભિનેતા કંઈક એવું કહ્યું છે જે લોકો ગળે ના ઉતરે. નસીરુદ્દીન શાહની વેબ સિરીઝ 'તાજઃ ડિવાઈડેડ બાય બ્લડ' ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. આ સિરીઝના રિલીઝ પહેલા અભિનેતાએ મુઘલોને વિનાશક ગણાવવા પર નારાજગી વ્યક્ત કરી છે.

નસીરુદ્દીન 'તાજઃ ડિવાઈડ બાય બ્લડ' વેબ સિરીઝમાં જોવા મળશે

એક ખાસ વાતચીતમાં નસીરુદ્દીન શાહે કહ્યું હતું કે, જ્યાં લોકો પાસે ઈતિહાસ વિશે સાચી માહિતી અને સાચી દલીલો નથી ત્યાં નફરત અને ખોટી માહિતીનું સામ્રાજ્ય છે. કદાચ આ જ કારણ છે કે દેશનો એક વર્ગ હવે ભૂતકાળને ખાસ કરીને મુઘલ સામ્રાજ્યને દોષી ઠેરવે છે અને મને તેના પર ગુસ્સો નહીં પણ હસવું આવે છે.

"જો મુઘલ સામ્રાજ્ય આટલું ભયંકર, આટલું વિનાશક હતું ..."

તેમણે આગળ કહ્યું હતું કે, જો મુઘલ સામ્રાજ્ય આટલું જ ભયંકર, વિનાશક હતું તો તેનો વિરોધ કરનારાઓ તેમના દ્વારા બનાવવામાં આવેલા સ્મારકોને કેમ તોડી નાખતા નથી? જો તેઓએ જે કંઈ કર્યું તે ભયંકર હતું તો તાજમહેલ તોડી નાખો, લાલ કિલ્લો તોડી નાખો, કુતુબ મિનાર તોડી નાખો. લાલ કિલ્લાને એક મુઘલે બાંધ્યો હતો તો પછી આપણે તેને પવિત્ર કેમ માનીએ છીએ? આપણે તેમનો મહિમા કરવાની જરૂર નથી કે આપણે તેમને બદનામ કરવાની જરૂર નથી.

નસીરુદ્દીન શાહે આ નિવેદન એવા સમયે આપ્યું છે જ્યારે સરકારના મંત્રીઓ મુઘલ યુગની સતત ટીકા કરી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી નામ બદલવાની કવાયત ચાલી રહી છે. રાષ્ટ્રપતિ ભવનમાં આવેલા ઐતિહાસિક મુઘલ ગાર્ડનનું નામ પણ બદલીને અમૃત ઉદ્યાન કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, અભિનેતાની વેબ સિરીઝ 'તાજઃ ડિવાઈડેડ બાય બ્લડ' ZEE5 પર રીલિઝ થવા જઈ રહી છે. જેમાં નસીરુદ્દીન શાહે રાજા અકબરની ભૂમિકા ભજવી છે. શ્રેણીની વાર્તા મુઘલ સામ્રાજ્યના બંધ ઓરડામાં સત્તાની રમત અને અનુગામીની પસંદગી પર છે.

અભિનેતા નસીરુદ્દીન શાહની તબિયતને લઇને ફેલાઇ અફવા, દીકરાએ કહ્યું- 'દુઆ કર રહે હૈ'

સળંગ બે દિવસ બૉલીવુડના બે દિગ્ગજોના નિધનના કારણે ફેન્સ શોકમાં છે, ત્યારે સોશ્યલ મીડિયા પર વધુ એક અફવા ફેલાઇ ગઇ. આ વાતથી પરેશાન દીકરાએ ખુદ પોતાના પિતાની તબિયતને લઇને સ્પષ્ટતા કરી હતી. સોશ્યલ મીડિયા પર અફવા ફેલાઇ ગઇ કે, અભિનેતા નસીરુદ્દીન શાહ બિમાર છે, અને તેમને ક્રિટિકલ કંડીશનમાં હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. જોકે, આ સમાચાર માત્ર એક અફવા નીકળ્યા હતા. આ વાતની પુષ્ટિ ખુદ અભિનેતાના  દીકરા વિવાન શાહે કરી હતી.  જેવુ દીકરા વિવાન શાહને ખબર પડી તો તેમને ટ્વીટ મારફતે બધુ સ્પષ્ટ કરી દીધુ. વિવાને શાહે ટ્વીટ કર્યુ, બધુ ઠીક છે, બાબા એકદીમ ઠીક છે, તેમના સ્વાસ્થ્યને લઇને કરવામાં આવી રહેલી વાતો ખોટી છે, અફવા છે. તે ઇરફાન અને ચિંટુજી માટે દુઆ કરી રહ્યાં છે. તે બન્નેને ખુબ યાદ કરી રહ્યાં છે. તેમને બન્ને પરિવારો માટે સંવેદના વ્યક્ત કરી છે. અમે બધા દિલથી બન્ને પરિવારો માટે દુઃખી છીએ, તેમના જવાથી મોટી ક્ષતિ થઇ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લામાં ભારે પવન સાથે વરસશે વરસાદ
રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લામાં ભારે પવન સાથે વરસશે વરસાદ
સંભવિત સંપાદિત જમીન અંગે સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, એક વર્ષ સુધી ખેતીની જમીન નહીં થાય NA
સંભવિત સંપાદિત જમીન અંગે સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, એક વર્ષ સુધી ખેતીની જમીન નહીં થાય NA
Iran-US War News: કુવૈતમાં મિસાઈલ અને ડ્રોનથી હુમલો, ઈરાને કહ્યું- 'બદલો લીધો'
Iran-US War News: કુવૈતમાં મિસાઈલ અને ડ્રોનથી હુમલો, ઈરાને કહ્યું- 'બદલો લીધો'
FIFA World Cupમાં લાગુ થશે આઠ નવા નિયમ, ખેલાડીઓ નહીં કરી શકે મનમાની
FIFA World Cupમાં લાગુ થશે આઠ નવા નિયમ, ખેલાડીઓ નહીં કરી શકે મનમાની

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લામાં ભારે પવન સાથે વરસશે વરસાદ
રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લામાં ભારે પવન સાથે વરસશે વરસાદ
સંભવિત સંપાદિત જમીન અંગે સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, એક વર્ષ સુધી ખેતીની જમીન નહીં થાય NA
સંભવિત સંપાદિત જમીન અંગે સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, એક વર્ષ સુધી ખેતીની જમીન નહીં થાય NA
Iran-US War News: કુવૈતમાં મિસાઈલ અને ડ્રોનથી હુમલો, ઈરાને કહ્યું- 'બદલો લીધો'
Iran-US War News: કુવૈતમાં મિસાઈલ અને ડ્રોનથી હુમલો, ઈરાને કહ્યું- 'બદલો લીધો'
FIFA World Cupમાં લાગુ થશે આઠ નવા નિયમ, ખેલાડીઓ નહીં કરી શકે મનમાની
FIFA World Cupમાં લાગુ થશે આઠ નવા નિયમ, ખેલાડીઓ નહીં કરી શકે મનમાની
ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા
ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા
ચોમાસા પર સંકટના વાદળ, અલ નીનોના કારણે વિશ્વમાં ચોમાસું રહેશે નબળું, WMOની ચેતવણી
ચોમાસા પર સંકટના વાદળ, અલ નીનોના કારણે વિશ્વમાં ચોમાસું રહેશે નબળું, WMOની ચેતવણી
ડીકે શિવકુમાર બનશે કર્ણાટકના નવા મુખ્યપ્રધાન, આજે યોજાશે શપથગ્રહણ સમારોહ
ડીકે શિવકુમાર બનશે કર્ણાટકના નવા મુખ્યપ્રધાન, આજે યોજાશે શપથગ્રહણ સમારોહ
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ
Embed widget