![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Naresh Babu: મહેશ બાબુના ભાઈ નરેશે ત્રીજી પત્ની પર લગાવ્યો જાનથી મારી નાખવાનો આરોપ, માંગી સુરક્ષા
Naresh Babu: જ્યારથી તેલુગુ ફિલ્મ અભિનેતા વિજય કૃષ્ણ નરેશે પવિત્રા લોકેશ સાથેનો વીડિયો શેર કર્યો છે. નરેશ બાબુએ દાવો કર્યો છે કે ત્રીજી પત્ની રામ્યાએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપીને સોપારી આપી છે.
![Naresh Babu: મહેશ બાબુના ભાઈ નરેશે ત્રીજી પત્ની પર લગાવ્યો જાનથી મારી નાખવાનો આરોપ, માંગી સુરક્ષા Naresh alleges his estranged wife Ramya Raghupathi threatened to kill him; Seeks protection from court Naresh Babu: મહેશ બાબુના ભાઈ નરેશે ત્રીજી પત્ની પર લગાવ્યો જાનથી મારી નાખવાનો આરોપ, માંગી સુરક્ષા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/02/94f45f3f27db3eb90dd75a4f3b6c049c167532202485581_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Naresh Babu: તેલુગુ ફિલ્મ સ્ટાર મહેશ બાબુના સાવકા ભાઈ વિજય કૃષ્ણ નરેશે પૂર્વ પત્ની રામ્યા રઘુપતિ પર જાનથી મારી નાખવાની ધમકી આપવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. નરેશ પોતે પણ એક્ટર છે. પૂર્વ પત્ની માટે પોતાના જીવને ખતરો ગણાવતા તેણે પોલીસ પાસે સુરક્ષાની માંગ કરી છે. નરેશ બાબુએ તાજેતરમાં જ અભિનેત્રી પવિત્રા લોકેશને કિસ કરતો વીડિયો શેર કરીને પોતાના લગ્નની જાહેરાત કરી હતી. નરેશે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તે પવિત્ર લોકેશ સાથે કેક કાપતો અને પછી તેને કિસ કરતો જોવા મળ્યો હતો. આ વીડિયો જોઈને નરેશ બાબુની ત્રીજી પૂર્વ પત્ની ગુસ્સે થઈ ગઈ.
નરેશની ત્રીજી પત્ની 10 કરોડની કરી રહી છે માંગ
આ દરમિયાન વિજયા કૃષ્ણ નરેશે ત્રીજી પત્ની રામ્યા રઘુપતિ પર જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે. તેણે 28 જાન્યુઆરીએ હૈદરાબાદમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ દાવો કર્યો હતો. નરેશ બાબુના જણાવ્યા અનુસાર તેની અને પૂર્વ પત્ની રામ્યા વચ્ચે ઘણા મહિનાઓથી લડાઈ ચાલી રહી છે. નરેશ બાબુએ પવિત્ર લોકેશ સાથેના લગ્નની જાહેરાત કરી ત્યારથી સ્થિતિ વધુ વણસી ગઈ છે.
જાનથી મારી નાખવાની ધમકી, 10 કરોડની માંગ
નરેશ બાબુએ દાવો કર્યો હતો કે રામ્યા સતત તેને મારી નાખવાની ધમકી આપી રહી હતી અને 10 કરોડ રૂપિયાની માંગ કરી રહી હતી. નરેશ બાબુએ એવો પણ દાવો કર્યો હતો કે 2022માં સોપારી કિલર ગેંગે તેમના ઘરની રેકી પણ કરી હતી. તેના જીવને ખતરો છે અને તેથી તે કોર્ટ પાસે પોતાનું રક્ષણ માંગી રહ્યો છે.
આ કારણના લીધે જ રામ્યાથી અલગ થવાનો નિર્ણય કર્યો
નરેશ બાબુએ એ પણ જણાવ્યું કે તેણે રામ્યા રઘુપતિથી અલગ થવાનો નિર્ણય કેમ લીધો? નરેશ બાબુએ દાવો કર્યો હતો કે રામ્યાના ઘણા અફેર હતા. બંને લાંબા સમયથી સાથે રહેતા ન હતા. નરેશ બાબુ કહે છે કે રામ્યા તેને જાનથી મારી નાખવાની ધમકી આપી રહી છે. રામ્યા પહેલા નરેશ બાબુએ બે લગ્ન કર્યા હતા. ત્રીજા લગ્ન રામ્યા સાથે હતા અને હવે ચોથા લગ્ન પવિત્રા લોકેશ સાથે થશે. પવિત્રા લોકેશના પણ આ બીજા લગ્ન છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)