શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
સુશાંતના ઘરમાં રાત્રે રીયા સૂતી હતી ત્યારે તેના શરીર પર હાથ ફેરવીને કોણે કરી હતી ગંદી હરકતો? રીયા રાત્રે જ ઘર છોડીને જતી રહેલી...
રિયા ચક્રવર્તીની ટીમમાં સામેલ એક વકીલનુ કહેવુ છે કે પ્રિયંકાએ નશામાં ધૂત થઇને રિયાની સાથે છેડતી અને ગંદી હરકતો કરી હતી. જે પછી ભાઇ-બહેનના સંબંધોમાં તિરાડ પડી ગઇ હતી. રિયાના વકીલ સતિશ માનશિંદેએ પોતાના એક તાજેતરના નિવેદનમાં આખી ઘટનાનો ઉલ્લેખ કર્યો છે
![સુશાંતના ઘરમાં રાત્રે રીયા સૂતી હતી ત્યારે તેના શરીર પર હાથ ફેરવીને કોણે કરી હતી ગંદી હરકતો? રીયા રાત્રે જ ઘર છોડીને જતી રહેલી... Rhea Chakraborty says Sushant Singh Sister Groped and Molested me સુશાંતના ઘરમાં રાત્રે રીયા સૂતી હતી ત્યારે તેના શરીર પર હાથ ફેરવીને કોણે કરી હતી ગંદી હરકતો? રીયા રાત્રે જ ઘર છોડીને જતી રહેલી...](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/08/18202618/Shushant-singh-36.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઇઃ બૉલીવુડ અભિનેત્રી રિયા ચક્રવર્તીની કાયદાકીય ટીમે અભિનેત્રી દ્વારા સુશાંત સિંહ રાજપૂતની બહેન પ્રિયંકા પર લગાવેલા આરોપોની વિસ્તારથી વાત કરી છે. ટીમમાં સામેલ એક વકીલનુ કહેવુ છે કે પ્રિયંકાએ નશામાં ધૂત થઇને રિયાની સાથે છેડતી અને ગંદી હરકતો કરી હતી. જે પછી ભાઇ-બહેનના સંબંધોમાં તિરાડ પડી ગઇ હતી. રિયાના વકીલ સતિશ માનશિંદેએ પોતાના એક તાજેતરના નિવેદનમાં આખી ઘટનાનો ઉલ્લેખ કર્યો છે.
તેમને કહ્યું કે, પોતાના સંબંધોના શરૂઆતના કેટલાક મહિનાઓ દરમિયાન જ્યારે રિયા સુશાંતના ઘરે ગઇ હતી, તે સમયે અભિનેતાની બહેન પ્રિયંકા અને તેના પતિ સિદ્ધાર્થ તેની સાથે રહેતા હતા. એપ્રિલ 2019ની આસપાસ એક રાત્રે રિયા અને પ્રિયંકા બન્ને એક પાર્ટીમાં ગઇ હતી. પ્રિયંકાએ વધારે દારુ પી લીધો હતો. જે પછી તે પાર્ટીમાં પુરુષોની સાથે સાથે મહિલાઓ સાથે પણ ગંદી હરકતો કરવા લાગી હતી. રિયા પ્રિયંકાને ગમે તે રીતે સુશાંતના ઘરે લઇને આવી હતી. કેમકે બીજા દિવસે તેને શૂટિંગ પર જવાનુ હતુ.
તેમને આગળ કહ્યું કે, રિયા સુશાંતના રૂમમાં સૂઇ રહી હતી, જ્યારે અચાનક તેની આંખ ખુલી તો તેને પ્રિયંકાને પોતાની સાથે બેડ પર જોઇ, તે ત્યારે જબરદસ્તીથી ગંદી હરકતો કરવાની કોશિશ કરી રહી હતી.રિયા આ વાતથી ખુબ પરેશાન થઇ ગઇ અને, તેને પ્રિયંકાને રૂમમાંથી તરત જ જતુ રહેવુ કહી દીધુ હતુ. બાદમાં રિયા ખુદ ઘરમાંથી નીકળી ગઇ હતી. રિયાએ આ વિશે સુશાંતને બતાવ્યુ હતુ, અને આ વાતને લઇને સુશાંત અને તેની બહેન વચ્ચે ઝઘડો પણ થયો હતો. આ કારણે સુશાંત અને તેના પરિવાર વચ્ચે સંબંધ શરૂઆતથી તણાવપૂર્ણ રહ્યાં હતા.
આની સાથે તેમને આગળ કહ્યું સુશાંતના નિધન બાદ જ્યારે અંતિમ સંસ્કારમાં સામેલ થવા 20 લોકોની યાદી બનાવવામાં આવી હતી, તો રિયાનુ નામ તેમાં સામેલ ન હતુ કરવામાં આવ્યુ, અને આ રીતે તેને અંતિમ સંસ્કારમાં સામેલ થવામાંથી બહાર રાખવામાં આવી હતી.
![સુશાંતના ઘરમાં રાત્રે રીયા સૂતી હતી ત્યારે તેના શરીર પર હાથ ફેરવીને કોણે કરી હતી ગંદી હરકતો? રીયા રાત્રે જ ઘર છોડીને જતી રહેલી...](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/08/19145736/Shushant-singh-66-300x225.jpg)
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બિઝનેસ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)