ગુજરાતમાં આગામી 6 દિવસ મેઘતાંડવની આગાહી: એકસાથે 4 સિસ્ટમ સક્રિય, 8 જિલ્લામાં રેડ એલર્ટ
Gujarat Rain Forecast: હવામાન વિભાગે આગામી 4 ઓગસ્ટ સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. 8 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી છ દિવસ ભારે વરસાદનો વધુ એક રાઉન્ડ જોવા મળી શકે છે. હવામાન વિભાગના અનુમાન મુજબ એકસાથે ચાર હવામાન સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા છે. આવતીકાલે અમદાવાદ સહિત આઠ જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે શનિવારથી ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં ચોમાસાએ ફરી જોર પકડ્યું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી છ દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. એકસાથે ચાર હવામાન સિસ્ટમ સક્રિય થતાં અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેના કારણે લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.
અમદાવાદ સહિત 8 જિલ્લામાં રેડ એલર્ટ
હવામાન વિભાગે આવતીકાલે અમદાવાદ સહિત આઠ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતા હોવાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા અને જનજીવન પ્રભાવિત થવાની આશંકા છે.
આ જિલ્લાઓમાં રહેશે અતિભારે વરસાદનું રેડ એલર્ટ
રેડ એલર્ટ હેઠળ નીચેના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યના 8 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરી છે અમદાવાદ, આણંદ,વડોદરા,નર્મદા,તાપી,ભરૂચ,સુરત,ડાંગ, આ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: Gujarat Rain: ગુજરાતમાં આજથી મેઘરાજાનો નવો રાઉન્ડ, દક્ષિણ ગુજરાતથી લઈને અમદાવાદ સુધી એલર્ટ!
શનિવારથી ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ
હવામાન વિભાગના અનુમાન મુજબ શનિવારથી ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધશે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે.
પ્રવાસીઓ અને નાગરિકો માટે ખાસ સૂચના
આગામી દિવસોમાં ભારે વરસાદને ધ્યાનમાં રાખીને પ્રવાસીઓએ પ્રવાસનું આયોજન કરતા પહેલાં હવામાનની માહિતી તપાસવી જોઈએ. નદી-નાળા, નીચાણવાળા વિસ્તારો અને પૂરપ્રવણ વિસ્તારોમાં જવાનું ટાળવું તેમજ સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવું જરૂરી છે. હવામાન વિભાગે માછીમારોને પણ દરિયો ન ખેડવાની સલાહ આપી છે અને જરૂરી ન હોય તો ભારે વરસાદ દરમિયાન ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે






















