![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Sonali Kulkarni Birthday: 18 વર્ષની ઉંમરમાં અદાઓથી ફિદા કરવા લાગી હતી સોનાલી, એક સમયે અભ્યાસ માટે ઠુકરાવી હતી ફિલ્મ
સોનાલીએ તેની ફિલ્મી સફર કન્નડ ફિલ્મ ‘ચેલુવી’થી શરૂ કરી હતી
![Sonali Kulkarni Birthday: 18 વર્ષની ઉંમરમાં અદાઓથી ફિદા કરવા લાગી હતી સોનાલી, એક સમયે અભ્યાસ માટે ઠુકરાવી હતી ફિલ્મ Sonali Kulkarni Birthday: Times the Actress Proved She is a Style Icon Sonali Kulkarni Birthday: 18 વર્ષની ઉંમરમાં અદાઓથી ફિદા કરવા લાગી હતી સોનાલી, એક સમયે અભ્યાસ માટે ઠુકરાવી હતી ફિલ્મ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/18/f0be25297ae118f53bae9d2d1bdd702b168440869047874_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Sonali Kulkarni Unknown Facts: જ્યારે બાળકો તેમની કારકિર્દી વિશે વિચારવાનું શરૂ કરે છે, ત્યારે તેણે ફિલ્મોમાં અભિનય કરવાનું શરૂ કર્યું હતું. તેના અભિનયની આજે પણ ચર્ચા થાય છે. અમે વાત કરી રહ્યા છીએ સોનાલી કુલકર્ણીની જેનો આજે જન્મદિવસ છે. તેના જન્મદિવસ પણ જાણો તેના જીવન અંગેની અજાણી વાતો.
અભ્યાસ માટે ફિલ્મ ઠુકરાવી હતી
18 મે 1974ના રોજ પુણે, મહારાષ્ટ્રમાં જન્મેલી સોનાલીએ તેની ફિલ્મી સફર કન્નડ ફિલ્મ ‘ચેલુવી’થી શરૂ કરી હતી. તે સમયે તે માત્ર 18 વર્ષની હતી. એવું કહેવાય છે કે ગિરીશ કર્નાડની આ ફિલ્મ માટે સોનાલીએ પહેલા જ ના પાડી દીધી હતી. તેણે તેના અભ્યાસનું કારણ આપ્યું હતું. જોકે, તે ગિરીશની સમજાવટ પર સહમત થઈ હતી. આ પછી તે મરાઠી ફિલ્મ ‘મુક્તા’માં જોવા મળી હતી.
સોનાલીના બોલિવૂડ ડેબ્યૂની વાત કરીએ તો તેણે અમોલ પાલેકરની ફિલ્મ ‘દાયરા’થી હિન્દી ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. આ ફિલ્મથી તેને ઓળખ મળી હતી. સોનાલીએ અત્યાર સુધી હિન્દી, અંગ્રેજી, મરાઠી, ગુજરાતી, કન્નડ અને તમિલ ફિલ્મોમાં કામ કર્યું છે. તે માને છે કે ભાષાથી કોઇ સમસ્યા રહેતી નથી. વાસ્તવિક ખેલ તો પાત્રનો હોય છે. સોનાલીએ ઈટાલિયન ફિલ્મમાં પણ કામ કર્યું છે. તેને 2006માં મિલાન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ઈટાલીયન ફિલ્મ ફ્યુકો સુ ડી મી માટે એવોર્ડ પણ મળ્યો હતો.
બે વાર લગ્ન કર્યા
સોનાલીના અંગત જીવનની વાત કરીએ તો તેણે બે વાર લગ્ન કર્યા હતા. પહેલા તેણે થિયેટર-ફિલ્મ દિગ્દર્શક ચંદ્રકાંત કુલકર્ણી સાથે લગ્ન કર્યા હતા પરંતુ આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. આ પછી સોનાલીના જીવનમાં સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝનના વડા નચિકેત પંતવેદ્ય આવ્યા અને 2010માં બંન્નેએ લગ્ન કર્યા હતા.
સોનાલી એડિટર પણ રહી ચૂકી છે
સોનાલીને વાંચન અને લખવાનો પણ ઘણો શોખ છે. તે ધેટ્સ સો કૂલ શીર્ષક સાથે સાપ્તાહિક કોલમ લખતી હતી. પાછળથી પુસ્તક પણ આ જ નામથી પ્રકાશિત થયું. તમને જાણીને નવાઈ લાગશે કે સોનાલી કુલકર્ણી એક મરાઠી અખબારમાં એડિટર પણ રહી ચૂકી છે. તેમણે તેમની કારકિર્દીમાં ત્રણ મરાઠી પુરસ્કારો, એક ફિલ્મફેર પુરસ્કાર અને એક રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સહિત ઘણા પ્રખ્યાત પુરસ્કારો જીત્યા હતા.
એક વખત સોનાલી પણ વિવાદમાં ફસાઈ ગઈ છે. વાસ્તવમાં, તેમણે તેમના એક નિવેદનમાં મહિલાઓને આળસુ ગણાવી હતી. તેણે કહ્યું હતું કે આજકાલ મોટાભાગની છોકરીઓ આળસુ બની ગઈ છે. તે એક એવો પાર્ટનર ઈચ્છે છે જે સેટલ થઈ ગયો હોય પણ પોતે કામ કરવા માંગતી નથી. આ નિવેદન પર વિવાદ એટલો વધી ગયો કે તેણે માફી માંગવી પડી હતી. તેણે કહ્યું હતું કે એક મહિલા હોવાને કારણે મારો ઉદ્દેશ્ય અન્ય મહિલાઓને દુઃખ પહોંચાડવાનો ન હતો.
સોનાલી કુલકર્ણીનો શ્રીદેવી સાથે પણ ઝઘડો થયો હતો. જે વર્ષે શ્રીદેવીની ‘ઈંગ્લિશ-વિંગ્લિશ’ રિલીઝ થઈ હતી, એ જ વર્ષે સોનાલીની ગુજરાતી ફિલ્મ ‘ધ ગુડ રોડ’ પણ આવી હતી. આ ફિલ્મને ઓસ્કારમાં ભારતીય ફિલ્મ તરીકે પસંદ કરવામાં આવી હતી, જ્યારે ઈંગ્લિશ-વિંગ્લિશ પણ આ રેસમાં સામેલ હતી. તેના પર શ્રીદેવીએ કહ્યું હતું કે મેં ‘ધ ગુડ રોડ’ વિશે સાંભળ્યું પણ નથી. આ ફિલ્મ ઓસ્કારમાં કેવી રીતે જઈ શકે? આ સાંભળીને સોનાલી ગુસ્સે થઈ ગઈ હતી. તેણે કહ્યું હતું કે માત્ર હિન્દી ફિલ્મો સારી નથી. દરેક ભાષામાં સારી ફિલ્મો બને છે અને જે ફિલ્મ શ્રેષ્ઠ હોય તેણે ઓસ્કારમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવું જોઈએ.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)