શોધખોળ કરો

'જગ્ગા જાસૂસ', 'લૂડો', 'પ્યાર કા પંચનામા 2'ના યુવા એડિટર અજય શર્માનુ કોરોનાથી નિધન

કોરોના પૉઝિટીવ અજય શર્મા છેલ્લા બે અઠવાડિયાથી નવી દિલ્હીની રાજીવ ગાંધી સુપર સ્પેશ્યાલિટી હૉસ્પીટલના આઇસીયુ વોર્ડમાં ભરતી હતા. તેમનુ નિધન મંગળવારે અને બુધવારે રાત્રે 1.00 થી 2.00ની વચ્ચે થયુ છે

મુંબઇઃ કોરોના સંક્રમણે (Covid-19) બૉલીવુડના વધુ એક શખ્સનો જીવ લઇ લીધો છે. 'જગ્ગા જાસૂસ', 'લૂડો', 'પ્યાર કા પંચનામા 2', 'ઇન્દૂ કી જવાની', 'કારવાં', 'હાઇ જેક', 'ક્રુક' જેવી તમામ ફિલ્મોના યુવા એડિટર અજય શર્માનુ (Ajay Sharma Died) કોરોના સંક્રમણના કારણ દિલ્હીમાં નિધન થઇ ગયુ છે. 

અજય શર્માના એક નજીકના સુત્રએ એબીપી ન્યૂઝને જણાવ્યુ કે, કોરોના પૉઝિટીવ અજય શર્મા છેલ્લા બે અઠવાડિયાથી નવી દિલ્હીની રાજીવ ગાંધી સુપર સ્પેશ્યાલિટી હૉસ્પીટલના આઇસીયુ વોર્ડમાં ભરતી હતા. તેમનુ નિધન મંગળવારે અને બુધવારે રાત્રે 1.00 થી 2.00ની વચ્ચે થયુ છે. 40 વર્ષથી પણ ઓછી ઉંમરના અજય શર્મા પોતાની પાછળ પત્ની અને 4 વર્ષનો દીકરો છોડી ગયા છે. 

અજય શર્માએ 'બર્ફી', 'યે જવાની હૈ દીવાની', 'અગ્નિપથ', 'કાય પો ચે', 'લાઇફ ઇ મેટ્રૉ', 'ધ ડર્ટી પિક્ચર' માટે પણ એક આસિસ્ટન્ટ એડિટર તરીકે કામ કર્યુ હતુ. તેમને 'જૉલી 1995' નામની એક શૉર્ટ ફિલ્મનુ નિર્દેશન પણ કર્યુ હતુ.  

ગયા વર્ષ અમેઝૉન પ્રાઇમ પર આવેલી હિટ વેબ સીરીઝ 'બેન્ડિટ બંદિશ' ને પણ અજય શર્માએ જ એડિટ કરી હતી. આ સીરીઝના નિર્દેશક આનંદ તિવારએ એબીપી ન્યૂઝ સાથે અજય શર્માની અસામયિક મોત પર કહ્યું- અજય શર્મા એક ઉમદા પ્રકારના એડિટર હતાં, અને સંભાવનાઓથી ભરપુર હતા, અમે એકદમ યુવા અને પ્રભાવશાળી એડિટરને ખોઇ દીધા છે. હું તેમની સાથે આગળ પણ કામ કરવા માટે ખુબ ઉત્સુક હતો, અને આને લઇને અમારી વચ્ચે હંમેશા ચર્ચા થતી રહેતી હતી, મને જ નહીં આખી ઇન્ડસ્ટ્રીને તેમની કમી વર્તાશે. 

કોરોનાની બીજી લહેર દેશમાં હાહાકાર મચાવી રહી છે. છેલ્લા એક અઠવાડિયાથી દેશમાં દરરોજ ત્રણ લાખથી વધુ કોરોનાના નવા કેસો સામે આવી રહ્યાં છે, સાથે સાથે દરરોજ 3થી 4 હજાર લોકોના મોત પણ થઇ રહ્યાં છે. કોરોનાના કેરને લઇને કેટલાક રાજ્યોમાં લૉકડાઉન તો ક્યાંક આંશિક પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યા છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજ્યના જ્વેલર્સ લૂંટાતા બચ્યા
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં પોલીસનું ઢીશૂમ-ઢીશૂમ
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં કેમ આક્રોશિત થઈ કુદરત ?
Gujarat Unseasonal Rain : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ ?
Gujarat New In-charge DGP Dr KLN Rao : ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP બન્યા ડો. કે.એલ. એન. રાવ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ
નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ
New Year 2026: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષનો જશ્ન, આતશબાજી દ્વારા ઉજવણી, જુઓ VIDEO
New Year 2026: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષનો જશ્ન, આતશબાજી દ્વારા ઉજવણી, જુઓ VIDEO
ખેડૂતો માટે મોટા સમાચાર: ગુજરાતમાં 9 નવી જિલ્લા સહકારી બેંકોને મંજૂરી, જાણો કયા જિલ્લાને મળશે લાભ ?
ખેડૂતો માટે મોટા સમાચાર: ગુજરાતમાં 9 નવી જિલ્લા સહકારી બેંકોને મંજૂરી, જાણો કયા જિલ્લાને મળશે લાભ ?
માવઠાની આગાહી: પાક બચાવવા કૃષિ વિભાગની ગાઇડલાઇન જાહેર, જીતુભાઈ વાઘાણીની ખેડૂતોને ખાસ અપીલ
માવઠાની આગાહી: પાક બચાવવા કૃષિ વિભાગની ગાઇડલાઇન જાહેર, જીતુભાઈ વાઘાણીની ખેડૂતોને ખાસ અપીલ
Embed widget