શોધખોળ કરો
બોલીવુડ એક્ટરે કહ્યું- ગાંજો કાયદેસર કરો, મુંબઈ પોલીસે ટ્વિટર પર જ આપી દીધી ચેતવણી, જાણો વિગત
1/5

મુંબઈઃ બોલીવુડ એક્ટર ઉદય ચોપડાએ દેશમાં ગાંજાને કાયદેસર માન્યતા આપવાની વાત કરી છે. તેણે આ અંગે તેનો વિચાર સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.
2/5

ગુરુવારે ઉદય ચોપડાએ સોશિયલ મીડિયા પર ટ્વિટ કરીને કહ્યું કે, ભારતમાં મારીજુઆના (ગાંજા)ને કાયદેસર કરી દેવો જોઈએ. પ્રથમ તો એ આપણી સંસ્કૃતિનો હિસ્સો છે. બીજુ તેને કાયદેસર કરી દેવાથી તેના પર ટેક્સ લગાવતાં દેશોમાંથી મોટા પાયે રેવન્યૂ પ્રાપ્ત થશે. ઉપરાંત ગાંજાનો ગેરકાયદેસર વેપલો કરતાં લોકોને પણ ખતમ કરી શકાશે. અંતમાં એટલું જ કહીશ કે ગાંજો સ્વાસ્થ્ય માટે ઘણો લાભકારક છે.
Published at : 16 Sep 2018 03:48 PM (IST)
View More























