શોધખોળ કરો

Poonam Pandey: પૂનમ પાંડે જીવીત છે, જણાવ્યું કેમ રચ્યું ‘મોત’નું ષડયંત્ર, વીડિયો શેર કરીને કહી આ વાત

Poonam Pandey News: શુક્રવારે દિવસભર પૂનમ પાંડેના સર્વાઈકલ કેન્સરથી મોત થયાના સમાચાર ચાલ્યા હતા. જોકે હવે તેના પરથી પડદો ઉઠી ગયો છે.

Poonam Pandey: પૂનમ પાંડેના મોત અંગે અનેક ચર્ચાઓ બાદ પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે. તે જીવીત છે અને તેણે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ આવીને આ વાતની જાણકારી આપી હતી.  પરંતુ હવે અભિનેત્રીએ પોતે જ તેનો વીડિયો શેર કરીને કહ્યું છે કે તે જીવિત છે અને આ વીડિયોમાં પૂનમે આ ષડયંત્ર પાછળની સત્યતાનો પણ પર્દાફાશ કર્યો છે.

શું કહ્યું વીડિયોમાં

વીડિયોમાં તે કહે છે કે, હું તમારા બધા સાથે કંઈક મહત્વપૂર્ણ શેર કરવા માટે મજબૂર અનુભવું છું - હું અહીં છું, જીવંત છું. સર્વાઇકલ કેન્સરે મને મારી નથી, પરંતુ દુ:ખદ રીતે, તેણે હજારો મહિલાઓના જીવ લીધો છે. જેઓ આ રોગનો સામનો કેવી રીતે કરવો તે અંગેના જ્ઞાનના અભાવના કારણે મોતને ભેટે છે. કેટલાક અન્ય કેન્સરથી વિપરીત, સર્વાઇકલ કેન્સર સંપૂર્ણપણે અટકાવી શકાય તેવું છે. અમારી પાસે એ સુનિશ્ચિત કરવાના સાધનો છે કે કોઈ પણ વ્યક્તિ આ રોગથી પોતાનો જીવ ન ગુમાવે. ચાલો નિર્ણાયક જાગૃતિ સાથે એકબીજાને સશક્ત કરીએ અને ખાતરી કરીએ કે દરેક મહિલાને લેવાના પગલાં વિશે જાણ કરવામાં આવે. સર્વાઈકલ કેન્સરથી બચવા શું કરી શકાય તે વિશે વધુ ઊંડાણપૂર્વક જાણવા માટે બાયોમાંની લિંકની મુલાકાત લો. ચાલો સાથે મળીને રોગની વિનાશક અસરનો અંત લાવવાનો પ્રયત્ન કરીએ.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by HAUTERRFLY | A Fork Media Group Co. (@hauterrfly)

સર્વાઇકલ કેન્સર શું છે?

સર્વાઇકલ કેન્સર સ્ત્રીઓના સર્વિક્સ કોષોમાં એટલે કે ગર્ભાશયના નીચેના ભાગમાં વિકસે છે. સર્વાઇકલ કેન્સરના કેસ સમગ્ર વિશ્વમાં ઝડપથી વધી રહ્યા હોવાથી, લોકોમાં આ કેન્સર વિશે માહિતી અને નિવારણની સમજનો અભાવ છે. તમને જણાવી દઈએ કે 20 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને સર્વાઇકલ કેન્સરથી બચવા માટે રસીકરણ અને નિયમિત ચેકઅપ કરાવવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ જાણકારીના અભાવે લોકો એવું કરતા નથી. તેથી, સર્વાઇકલ કેન્સરના કેસ ભારતમાં તેમજ વિશ્વભરમાં ઝડપથી વધી રહ્યા છે.

સર્વાઇકલ કેન્સરના લક્ષણો શું છે?

હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે સર્વાઈકલ કેન્સર એક ખાસ પ્રકારના એચપીવી અને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઈન્ફેક્શનને કારણે થાય છે. એચપીવી વાસ્તવમાં માનવ પેપિલોમા વાયરસનું એક જૂથ છે, જેમાં 14 થી વધુ વાયરસ વિવિધ પ્રકારના કેન્સરનું કારણ બની શકે છે. 70 ટકા સર્વાઇકલ કેન્સર માટે આ વાયરસ જૂથના બે પ્રકાર જવાબદાર હોવાનું કહી શકાય. જો કે, સર્વાઇકલ કેન્સરના લક્ષણો સામાન્ય રીતે બહુ સ્પષ્ટ હોતા નથી અને તેથી જ તેને વહેલાસર ઓળખવું મુશ્કેલ છે. તેના લક્ષણોમાં યોનિમાંથી અસામાન્ય રક્તસ્રાવ, યોનિમાંથી અસામાન્ય પ્રવાહી સ્રાવ, વજનમાં ઘટાડો, પીઠના નીચેના ભાગમાં સતત દુખાવો અને શૌચ કરવામાં મુશ્કેલીનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે મહિલાઓ આ લક્ષણો પર ધ્યાન આપતી નથી અને તે કેન્સરનું ગંભીર સ્વરૂપ બની જાય છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Poonam Pandey (@poonampandeyreal)

દર વર્ષે સર્વાઇકલ કેન્સરને કારણે ઘણા મૃત્યુ થાય છે

WHO અનુસાર, 2020 માં અંદાજિત 6 લાખ 4000 નવા કેસ અને 3 લાખ 42 હજાર મૃત્યુ નોંધાયા હતા. તમને જણાવી દઈએ કે સર્વાઇકલ કેન્સર એ વિશ્વભરમાં મહિલાઓમાં ચોથું સૌથી સામાન્ય કેન્સર છે. ICMR ડેટા અનુસાર, ભારતમાં સર્વાઇકલ કેન્સરના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે અને અહીં લગભગ દર 8 મિનિટે એક મહિલા સર્વાઇકલ કેન્સરથી મૃત્યુ પામે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Indian Deportation Row: વધુ 119 ગેરકાયદે પ્રવાસીઓ સાથે અમેરિકાએ બીજુ પ્લેન કર્યું રવાના, જેમાં 8 ગુજરાતી સામેલ
Indian Deportation Row: વધુ 119 ગેરકાયદે પ્રવાસીઓ સાથે અમેરિકાએ બીજુ પ્લેન કર્યું રવાના, જેમાં 8 ગુજરાતી સામેલ
CBSE Board Exam 2025:આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ, રાજ્યમાં 70 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
CBSE Board Exam 2025:આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ, રાજ્યમાં 70 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
Accident: કુંભમાંથી પરત ફરી રહેલા ગુજરાતના શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, 4ના મોત, 8 ઘાયલ
Accident: કુંભમાંથી પરત ફરી રહેલા ગુજરાતના શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, 4ના મોત, 8 ઘાયલ
Ranveer: બાપ રે! હવે બરાબરનો ભરાયો રણવીર, WWEના ખતરનાક રેસલરએ કહ્યું - જો મારી સામે આવ્યો તો...
Ranveer: બાપ રે! હવે બરાબરનો ભરાયો રણવીર, WWEના ખતરનાક રેસલરએ કહ્યું - જો મારી સામે આવ્યો તો...
Advertisement
ABP Premium

વિડિઓઝ

Maha Kumbh Mela 2025 : મહાકુંભ જવા ઈચ્છતા મુસાફરો માટે સારા સમાચારUS Visa: અમેરિકા વિઝા રિન્યુઅલ માટે ભારતીયોએ જોવી પડશે વધુ રાહDahod Accident: પ્રયાગરાજથી પરત ફરી રહેલા ગુજરાતી શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, 4ના મોત, 8 ઘાયલPrayagraj Accident: પ્રયાગરાજમાં ભયાનક અકસ્માત, 10 શ્રદ્ધાળુઓના મોત, 19 ઘાયલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Indian Deportation Row: વધુ 119 ગેરકાયદે પ્રવાસીઓ સાથે અમેરિકાએ બીજુ પ્લેન કર્યું રવાના, જેમાં 8 ગુજરાતી સામેલ
Indian Deportation Row: વધુ 119 ગેરકાયદે પ્રવાસીઓ સાથે અમેરિકાએ બીજુ પ્લેન કર્યું રવાના, જેમાં 8 ગુજરાતી સામેલ
CBSE Board Exam 2025:આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ, રાજ્યમાં 70 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
CBSE Board Exam 2025:આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ, રાજ્યમાં 70 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
Accident: કુંભમાંથી પરત ફરી રહેલા ગુજરાતના શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, 4ના મોત, 8 ઘાયલ
Accident: કુંભમાંથી પરત ફરી રહેલા ગુજરાતના શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, 4ના મોત, 8 ઘાયલ
Ranveer: બાપ રે! હવે બરાબરનો ભરાયો રણવીર, WWEના ખતરનાક રેસલરએ કહ્યું - જો મારી સામે આવ્યો તો...
Ranveer: બાપ રે! હવે બરાબરનો ભરાયો રણવીર, WWEના ખતરનાક રેસલરએ કહ્યું - જો મારી સામે આવ્યો તો...
Train Cancelled:  માર્ચમાં ટ્રેનમાં પ્રવાસ કરવાનો પ્લાન છે,તો જાણી લો ટ્રેન Marchમાં રેલવે કરી કેન્સલ
Train Cancelled: માર્ચમાં ટ્રેનમાં પ્રવાસ કરવાનો પ્લાન છે,તો જાણી લો ટ્રેન Marchમાં રેલવે કરી કેન્સલ
Prayagraj Accident: પ્રયાગરાજમાં બોલેરો-બસ વચ્ચે ટક્કર, મહાકુંભમાં જઈ રહેલા 10 શ્રદ્ધાળુઓના મોત, 19 ઘાયલ
Prayagraj Accident: પ્રયાગરાજમાં બોલેરો-બસ વચ્ચે ટક્કર, મહાકુંભમાં જઈ રહેલા 10 શ્રદ્ધાળુઓના મોત, 19 ઘાયલ
PM Modi US visit: મોદી અને ટ્રમ્પ વચ્ચેની મુલાકાતમાં કોણે મારી બાજી ? જાણો શું કહ્યું વર્લ્ડ મીડિયાએ?
PM Modi US visit: મોદી અને ટ્રમ્પ વચ્ચેની મુલાકાતમાં કોણે મારી બાજી ? જાણો શું કહ્યું વર્લ્ડ મીડિયાએ?
WPL 2025: પહેલી જ મેચમાં RCB એ રચ્યો ઇતિહાસ, ગુજરાતને 6 વિકેટથી હરાવી બનાવ્યો મહારેકોર્ડ
WPL 2025: પહેલી જ મેચમાં RCB એ રચ્યો ઇતિહાસ, ગુજરાતને 6 વિકેટથી હરાવી બનાવ્યો મહારેકોર્ડ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.