શોધખોળ કરો

TMKOCના પોપટલાલ સાથે  લગ્ન કરશે રીટા રિપોર્ટર? ફેનના સવાલ પર પ્રિયા આહુજાએ આપ્યો ફની જવાબ

TMKOC Popatlal Marriage With Rita Reporter: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં રીટા રિપોર્ટરની ભૂમિકામાં દેખાતી પ્રિયા આહુજાને એક ચાહકે સવાલ કર્યો કે શું તે પોપટલાલ સાથે લગ્ન કરશે કે નહી?

Priya Ahuja On Marriage With TMKOC Popatlal: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (છેલ્લા 14 વર્ષથી દર્શકોનું નોનસ્ટોપ મનોરંજન કરી રહ્યું છે. શોના તમામ પાત્રો દર્શકો સાથે ખૂબ જ જોડાયેલા છે, તેથી ઘણી વખત લોકો સ્ટાર્સને તેમના રીલ લાઇફના પાત્રો વિશે સવાલો કરતા રહે છે. 'તારક મહેતા'માં રીટા રિપોર્ટરની ભૂમિકા ભજવનાર અભિનેત્રી પ્રિયા આહુજા વિશે જાણવા માટે ચાહકો ઘણા ઉત્સુક હોય છે.

પોપટલાલ સાથેના લગ્ન અંગે રીટા રિપોર્ટરની પ્રતિક્રિયા

તાજેતરમાં પ્રિયા આહુજાએ સોશિયલ મીડિયા પર ચાહકો સાથે આસ્ક મી એનિથિંગ સેશન કર્યું હતું. આ દરમિયાન ઘણા લોકોએ તેમની પર્સનલ લાઈફ વિશે સવાલ ઉઠાવ્યા હતા. જો કે એક ચાહકના ફની સવાલે ઘણી લાઇમલાઇટ પકડી હતી. ચાહકનો પ્રશ્ન હતો, "જો તમે TMKOC માં પોપટલાલ સાથે લગ્ન કરી લો તો તમે કેવી પ્રતિક્રિયા આપશો?" ફેન્સના આ સવાલનો પ્રિયાએ ફની જવાબ આપ્યો. તેણે કહ્યું, "કેન્સલ કેન્સલ કેન્સલ." જણાવી દઈએ કે શોમાં પોપટલાલે હજુ સુધી લગ્ન કર્યા નથી. તેમના લગ્ન હંમેશા ચાહકોમાં ટોક ઓફ ધ ટાઉન રહ્યા છે.


TMKOCના પોપટલાલ સાથે  લગ્ન કરશે રીટા રિપોર્ટર? ફેનના સવાલ પર પ્રિયા આહુજાએ આપ્યો ફની જવાબ

રીટા રિપોર્ટરે બીજા બાળકના આયોજન પર વાત કરી

પ્રિયા આહુજાએ 'તારક મહેતા'ના ભૂતપૂર્વ દિગ્દર્શક માલવ રાજદા સાથે લગ્ન કર્યા છે. દંપતીને અરદાસ નામનો પુત્ર પણ છે. પ્રશ્ન-જવાબ સત્રમાં એક ચાહકે પૂછ્યું કે શું તે બીજા બાળક માટે પ્લાન કરી રહી છે. તેના પર અભિનેત્રીએ મજાકમાં જવાબ આપતા કહ્યું કે, માલવ, આ કયો સંબંધી છે. નકલી એકાઉન્ટમાંથી પ્રશ્ન પૂછી રહ્યો છે. તપાસ કરો તેની.


TMKOCના પોપટલાલ સાથે  લગ્ન કરશે રીટા રિપોર્ટર? ફેનના સવાલ પર પ્રિયા આહુજાએ આપ્યો ફની જવાબ

'તારક મહેતા'માંથી ગાયબ છે પ્રિયા

પ્રિયા આહુજા 2008થી રીટા રિપોર્ટર તરીકે 'તારક મહેતા'માં જોવા મળી હતી. જોકે, વર્ષ 2019માં તેણે શોમાંથી બ્રેક લીધો હતો. અભિનેત્રી હજુ સુધી આ શોમાં જોડાઈ નથી. તે હજુ પણ બ્રેક પર છે. થોડા સમય પહેલા અભિનેત્રીએ કહ્યું હતું કે શોમાં તેની કોઈ મહત્વની ભૂમિકા નથી. જો તે થશે તો તે ચોક્કસપણે ફરીથી શૂટિંગ શરૂ કરશે.

આ પણ વાંચો: Kiara Advani સાથે લગ્ન બાદ કામ પર પાછો ફર્યો સિદ્ધાર્થ મલ્હોત્રા, 'યોદ્ધા' ટીમ સાથે જોવા મળ્યો

Sidharth Malhotra On Work: સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી છેલ્લા ઘણા દિવસોથી હેડલાઈન્સમાં છે. બોલિવૂડના સૌથી લોકપ્રિય કપલે 7 ફેબ્રુઆરીના રોજ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં નજીકના મિત્રો અને પરિવારની હાજરીમાં લગ્ન કર્યા હતા. આ પછી દિલ્હી અને પછી મુંબઈમાં સ્ટાર્સથી ભરપૂર રિસેપ્શનને કારણે આ કપલ લાઇમલાઇટમાં રહ્યું. અને હવે જ્યારે સિડ-કિયારાના લગ્નની ઉજવણી પૂરી થઈ ગઈ હોય એવું લાગે છે.  કેમ કે આ કપલ હવે કામ પર પરત ફર્યું છે.  નવા પરિણીત અભિનેતા સિદ્ધાર્થ લગ્ન બાદ પહેલીવાર જોવા મળ્યો હતો. પાપારાઝીએ પણ જોરદાર રીતે સિડની તસવીરો ક્લિક કરી હતી.

'યોદ્ધા'ની ટીમ સાથે જોવા મળ્યો સિદ્ધાર્થ મલ્હોત્રા

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં સિદ્ધાર્થ મલ્હોત્રા તેની આગામી ફિલ્મ 'યોદ્ધા'ની ટીમ સાથે જોવા મળી રહ્યો છે. અભિનેતા હંમેશાની જેમ હેન્ડસમ લાગી રહ્યો હતો. આ દરમિયાન તેણે આછા વાદળી રંગનો ડેનિમ શર્ટ પહેર્યો હતો જેને તેણે ચમકદાર ગ્રે ટ્રેક સાથે કરી કર્યો હતો. સિદ્ધાર્થે વ્હાઈટ સ્નીકર્સ અને બ્લેક સનગ્લાસ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. ત્યાં પોઝ આપતી વખતે જ્યારે પાપારાઝીએ તેને કહ્યું, 'તમે આજે લગ્ન પછી મળી રહ્યા છો'. આના જવાબમાં અભિનેતાએ માત્ર 'યોદ્ધા' કહ્યું અને મસ્ત સ્માઇલ આપી હતી.

સિડ-કિયારાએ કરણ જોહરની ત્રણ ફિલ્મો સાઈન કરી નથી

આ દરમિયાન એવું કહેવામાં આવી રહ્યું હતું કે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ કરણ જોહરની ધર્મા પ્રોડક્શન્સ સાથે ત્રણ ફિલ્મોનો કરાર કર્યો છે. તે જ સમયે જ્યારે મીડિયાએ કરણ જોહરને આ વિશે પૂછ્યું તો ફિલ્મ નિર્માતાએ સ્પષ્ટ કહ્યું કે, બિલકુલ નહીં. એટલે કે સિડ-કિયારાએ કરણ જોહરની ત્રણ ફિલ્મો સાઈન કરી હોવાના સમાચાર માત્ર અફવા હતા. તે જ સમયે ધર્મા પ્રોડક્શનની નજીકના એક સૂત્રએ પણ આવી અફવાઓને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે સિદ્ધાર્થ અને કિયારા કરણની એટલી નજીક છે કે તેમને કોઈ કરાર કરવાની જરૂર નથી. તેણે કહ્યું, 'લગ્ન પહેલાં, કપલે ક્યારેય કરણ સાથે પૈસા અથવા કરાર વિશે વાત કરી ન હતી, તો હવે તેઓ શા માટે ફિલ્મો માટે કરણ સાથે ડીલ કરશે.'

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget