![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
શૈલેષ લોઢા બાદ વધુ એક સ્ટાર્સે Taarak Mehta Ka Ooltah Chashmah શો છોડ્યો, ઇન્સ્ટાગ્રામ પર કરી જાહેરાત
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ઘણા વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહી છે. વર્ષોમાં અનેક મોટા કલાકારો આ શો છોડીને જઇ ચૂક્યા છે
![શૈલેષ લોઢા બાદ વધુ એક સ્ટાર્સે Taarak Mehta Ka Ooltah Chashmah શો છોડ્યો, ઇન્સ્ટાગ્રામ પર કરી જાહેરાત Raj Anadkat aka Tapu confirms quitting Taarak Mehta Ka Ooltah Chashmah શૈલેષ લોઢા બાદ વધુ એક સ્ટાર્સે Taarak Mehta Ka Ooltah Chashmah શો છોડ્યો, ઇન્સ્ટાગ્રામ પર કરી જાહેરાત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/12/20ac1a2fd83423a27087e115c5e40d591665587344294404_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ઘણા વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહી છે. વર્ષોમાં અનેક મોટા કલાકારો આ શો છોડીને જઇ ચૂક્યા છે. હવે આ યાદીમાં ટપ્પુ એટલે કે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના રાજ અનડકટનું નામ પણ જોડાઈ ગયું છે. રાજ અનડકટ વિશેના આ સમાચારે શોના ચાહકોને મોટો આંચકો આપ્યો છે.
View this post on Instagram
રાજ અનડકટે શો છોડી દીધો
ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી કે રાજ અનડકટ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ને અલવિદા કહી દેશે. પરંતુ દરેક વખતે તે આ સમાચારોને અફવા ગણાવતો હતો. જોકે, આ વખતે ટપ્પુએ પોતે જ સોશિયલ મીડિયા પર શો છોડવાની જાહેરાત કરી છે. ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતા રાજ અનડકટે કહ્યું હતું કે સમય આવી ગયો છે જ્યારે તમામ અટકળો અને પ્રશ્નોનો અંત લાવવો જોઈએ. નીલા ફિલ્મ્સ અને 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સાથે મારો કરાર સત્તાવાર રીતે સમાપ્ત થાય છે.
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' વિશે વધુ વાત કરતાં તેણે લખ્યું હતું કે હું ઘણું શીખ્યો છું. મિત્રો બનાવ્યા. આ તેમની કારકિર્દીના શ્રેષ્ઠ વર્ષો હતા. હું એ તમામ લોકોનો આભાર માનું છું જેમણે મને આ પ્રવાસમાં સાથ આપ્યો. તારક મહેતાની સમગ્ર ટીમ, મારા મિત્રો, પરિવાર અને તમામ બધાનો આભાર. તમે બધાએ મને ટપ્પુ તરીકે અપનાવ્યો, પ્રેમ આપ્યો. તમારા સમર્થનને કારણે મને સારું કરવાની હિંમત મળતી રહી. તારક મહેતાની આખી ટીમ અને શોને ભવિષ્ય માટે શુભકામનાઓ.
થોડા મહિના પહેલા રાજ અનડકટે રણવીર સિંહ સાથે એક તસવીર પોસ્ટ કરી હતી. આ ફોટો દ્વારા તેણે જણાવ્યું હતું કે તેનું વર્ષો જૂનું સપનું પૂરું થયું. જો કે, તે સ્વપ્ન શું હતું. તેણે આ વિશે કોઈ માહિતી શેર કરી નથી. રાજે વચન આપ્યું છે કે તે ટૂંક સમયમાં એક નવા માધ્યમ દ્વારા લોકોનું મનોરંજન કરતો જોવા મળશે.
રાજ અનડકટ પહેલા ભવ્ય ગાંધી તારક મહેતામાં ટપ્પુનું પાત્ર ભજવતો હતો. ભવ્યના ગયા પછી રાજ અનડકટ 2017માં શોમાં જોડાયો હતો. ટપ્પુના પાત્રમાં રાજને લોકોનો ઘણો પ્રેમ મળ્યો અને તે બધાનો ફેવરિટ બની ગયો. આવી સ્થિતિમાં તારક મહેતામાં તેની ગેરહાજરી વર્તાશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)