દુધાળા ગામે અકસ્માત થતાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જેને કારણે રોડ પર ટ્રાફિકજામ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી હોસ્પિટલ દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોના ખબર-અંતર પૂછ્યા હતા.
3/10
4/10
5/10
6/10
7/10
8/10
અમરેલીઃ જાફરબાદ તાલુકાના દુધાળા ગામે છકડો રિક્ષા અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે સાતથી વધુ લોકોને ઇજા થતાં તેમને 108 મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.