શોધખોળ કરો
અમરેલી: કબરમાંથી લાશ કાઢવા પહોંચેલા દલીતોની પોલીસે કરી અટકાયત, બે યુવાનનો આત્મવિલોપનનો પ્રયાસ
1/5

જેને પગલે સવારથી જ ડુંગરમાં પોલીસના ધાડેધાડા ખડકાયા હતાં. અહિં મહિલાઓ સહિત 100 થી વધુ લોકો કબરમાંથી આ યુવકની લાશ બહાર કાઢવા ધસી ગયા હતાં. જો કે પોલીસે તેમને તેમ કરવા નહી દઇ 66 લોકોની અટકાયત કરી લીધી હતી. અહિં દલીત સમાજે ભારે સુત્રોચ્ચાર સાથે પોતાનો વિરોધ પણ વ્યક્ત કર્યો હતો. તમામ લોકોને પીપાવાવ મરીન પોલીસ મથકે લઇ જવાયા હતાં.
2/5

અમરેલી:રાજુલાના એક ગામમાં જીજ્ઞેશ સોંદરવા નામના દલીત યુવાનની અમરેલી જીલ્લા જેલમાં હત્યા કરી હોવાના કેસમાં પોલીસે 4 શખ્સોની ધરપકડ કરી હતી. પરંતુ પોલીસ મુખ્ય આરોપીને છાવરતી હોવાના આક્ષેપ સાથે દલીત સમાજે આજે ડુંગર ગામે કબરમાંથી આ યુવકની લાશને બહાર કાઢવા પ્રયાસ કર્યો હતો.
Published at : 08 Jul 2017 11:08 AM (IST)
View More























