સોમનાથઃ આજે શ્રાવણ મહિનાનો અંતિમ સોમવાર છે. આજે અંતિમ સોમવારે સોમનાથ મહાદેવજીના દર્શન કરવા માટે મંદિરમાં ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ ભક્તો મંદિરમાં દર્શન માટે પહોંચી ગયા હતા અને સોમનાથ દાદાની આરતીમાં સામેલ થયા હતા.
6/6
પ્રાતઃ મહાપૂજન બાદ શ્રી સોમનાથ મહાદેવને પિતાંબર અને વિવિધ પુષ્પોથી શૃંગાર કરવામાં આવેલો હતો. મહાદેવજીના દર્શનથી ભક્તો ભાવવિભોર બન્યા હતા. શ્રી સોમનાથ મંદિરમાં આરતી બાદ જય સોમનાથ જય શ્રીકૃષ્ણનો નાદ ગુંજી ઉઠ્યો હતો.