શોધખોળ કરો
જીતુ વાઘાણી સામે રવિવારે કારડિયા રાજપૂતોએ કેમ બોલાવ્યું મહાસંમેલન?
1/5

અમદાવાદ: ભાજપની હાલત એક સાંઘો ત્યાં તેર તુટે તેવી સ્થિતિ છે. ત્યારે પાટીદાર અનામતની માગણી કરતાં પાટીદારો ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનો વિરોધ કરતાં હતાં. હવે ગુજરાત કારડિયા રાજપુત સમાજે પણ જીતુ વાઘાણી સામે મોરચો માંડવાનું એલાન કરી દીધું છે. જેના ભાગરૂપે 15 ઓક્ટોબરે ભાવનગરમાં કારડિયા રાજપુતનું રાજ્યવ્યાપી સંમેલન પણ બોલાવવામાં આવ્યું છે.
2/5

આ મામલે બુધેલ ગામના સરપંચ દાનસંગ મોરીએ જણાવ્યું હતું કે જમીન પચાવી પાડવાની જીતુ વાઘાણીની માગણીને નહીં સ્વિકારતા મારા સહિત ગામના લોકો પર ખોટા કેસ કરવાની શરૂઆત થઇ અને જેમ હું મોટો ગુનેગાર હોઉં તેમ મારા ઘરના દરવાજા તોડી મારા પરિવારના સભ્યોને માર મારવામાં આવ્યો. આ મામલે આગામી 15 ઓક્ટોબરે રાજપૂતોનું મહાસંમેલન બોલાવવામાં આવ્યું છે.
Published at : 11 Oct 2017 01:13 PM (IST)
Tags :
Jitu VaghaniView More























