શોધખોળ કરો
કોડીનારના ચકચારી સગીરાના હત્યા કેસમાં શું સામે આવી ચોંકાવનારી વિગત? જાણો વિગત
1/5

સોમવારે રાતે 16 વર્ષીય સગીરાની લાશ ઉના બાયપાસ પાસે આવેલી જંગલની ઝાડીમાંથી મળી આવતાં ભારે ચકચાર મચી ગઈ હતી. ધોરણ-11માં ભણતી વિમાંશીની તિક્ષ્ણ હથિયારના 37 ઘા મારીને હત્યા કરી નાંખવામાં આવી છે. પોલીસે આ ઘટનામાં બે શકમંદ યુવકોની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું હતું.
2/5

ઉના બાયપાસની ઝાળીમાંથી વિમાંશીની લાશ મળી હતી. પોલીસને હાથ લાગેલી મોબાઇલ કોલ ડિટેલ પ્રમાણે વિમાંશી રાતે તેની સાથે અભ્યાસ કરતાં યુવકોને મળવા ગઈ હતી. વિમાંશીના શરીર પર અનેક ઇજાના નિશાન હોવાથી તેની સાથે કોઈએ બળજબરી કરી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. પોલીસે મૃતદેહને પ્રથમ કોડીનાર હોસ્પિટલે ખસેડ્યો હતો. જોકે, પરિવારે પેનલ પી.એમ.ની માંગણી કરતા મૃતદેહને જામનગર ખસેડાયો હતો.
Published at : 07 Nov 2018 12:47 PM (IST)
View More





















