આગામી 8 એપ્રિલના રોજ ભાવનગર જિલ્લામાં ગુજરાતના તમામ તાલુકા સમિતિના સભ્યોની બેઠક મળવાની છે. કન્વીનરો, સોશિયલ મીડિયા યુવાનો, જેલમાં ગયેલા યુવાનો અને આંદોલનકારીઓ માટે આર્થિક વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. આગામી દિવસોમાં 27 જિલ્લાઓમાં મજબૂતીથી યાત્રા કાઢવામાં આવશે. મા ઉમા ખોડલ ખેડૂત પુત્ર સંકુલની સ્થાપના કરવાનું આયોજન છે.
2/3
ભાવનગરઃ બોટાદમાં પાસની નવી સમિતીની જાહેરાત કરવામાં આવી છે. પાસ સંગઠનના પ્રભારી દિલીપ સાબવા સહિત અતુલ પટેલ, નિલેષ એરવાડિયા સહિત પાસના અન્ય કાર્યકરતાઓની હાજરીમાં આ સમિતિની જાહેરાત કરાઈ છે.
3/3
આ પાસ સમિતિ આગામી 8મી એપ્રિલના રોજ ભાવનગર ખાતે પોતાની બેઠક યોજશે. જેમાં પાસની આગામી રાણનીતિ નક્કી કરાશે. મહત્વનું છે કે, આ નવી પાસ સમિતીમાં પાસ સંગઠન પ્રભારી દિલીપ સાબવા, અતુલ પટેલ અને નિલેશ એરવાડિયા હાજર રહ્યા હતા. હાર્દિક પટેલ, અલ્પેશ કથરીયા , દિલીપ સાબવા, મનોજ પનારા, નિલેશ એરવાડિયા અને ગીતા પટેલ સમિતિના માર્ગદર્શક રહેશે.