શોધખોળ કરો

તારક મહેતાનાં પત્નિને મોદીનો પત્રઃ ટપુડો, દયાભાભી, જેઠાલાલ અનંતકાળ સુધી રહેવાનાં, બીજું શું લખ્યું? જાણો

1/10
તારકભાઇ એક તારાની જેમ આપણા સાહિત્યના આકાશમાં, આપણા દૈનંદિન જીવનમાં કાયમ માટે ટમટમતા રહેશે. હું મારી હૃદયની શ્રદ્ધાંજલિ આપું છું અને લાખ્ખો ભાવકોની જેમ મારા એમની સાથે વીતાવેલી ક્ષણોનું સ્મરણ કરું છું.
તારકભાઇ એક તારાની જેમ આપણા સાહિત્યના આકાશમાં, આપણા દૈનંદિન જીવનમાં કાયમ માટે ટમટમતા રહેશે. હું મારી હૃદયની શ્રદ્ધાંજલિ આપું છું અને લાખ્ખો ભાવકોની જેમ મારા એમની સાથે વીતાવેલી ક્ષણોનું સ્મરણ કરું છું.
2/10
સાહિત્યકારે સમાજોન્મુખી રહેવું જોઇએ એવો એક શબ્દધર્મ જાણે કે તારકભાઇ પ્રબોધી ગયા હોય એવું આજે અનુભવાય છે.તારકભાઇનું દુ:ખદ નિધન થયું છે, પણ સમાજમાં રહેલો ટપુડો, જેઠાકાકા, દયાભાભી, હિમ્મતલાલ જેવાં અનેક પાત્રો અનંતકાળ સુધી રહેવાનાં છે. આ પાત્રોમાં તારકભાઇ કોઇ ને કોઇ સ્વરૂપે જીવતા રહેવાના છે. આજે એમનું દુ:ખદ નિધન થયું છે, પણ આ ક્ષણથી એમનું સ્મરણપર્વ ચાલુ થાય છે.
સાહિત્યકારે સમાજોન્મુખી રહેવું જોઇએ એવો એક શબ્દધર્મ જાણે કે તારકભાઇ પ્રબોધી ગયા હોય એવું આજે અનુભવાય છે.તારકભાઇનું દુ:ખદ નિધન થયું છે, પણ સમાજમાં રહેલો ટપુડો, જેઠાકાકા, દયાભાભી, હિમ્મતલાલ જેવાં અનેક પાત્રો અનંતકાળ સુધી રહેવાનાં છે. આ પાત્રોમાં તારકભાઇ કોઇ ને કોઇ સ્વરૂપે જીવતા રહેવાના છે. આજે એમનું દુ:ખદ નિધન થયું છે, પણ આ ક્ષણથી એમનું સ્મરણપર્વ ચાલુ થાય છે.
3/10
 તારકભાઇ આટલી બધી લોકપ્રિયતા હોવા છતાં ખૂબ જ નમ્ર અને સાહજિક વ્યક્તિ હતા. તેમનો આટલો મોટો વિશાળ ચાહક વર્ગ એમને આરામથી મળી શકતો હતો. દરેક ઉંમરના લોકો સાથે કલાકો સુધી ગપ્પાં મારતા અને બધાને ખડખડાટ હસાવતા. આજે આવા તારકભાઇ નથી એ અનેક લોકો માટે અંગત રીતે એક પ્રકારનો ખાલીપો પેદા કરે છે.
તારકભાઇ આટલી બધી લોકપ્રિયતા હોવા છતાં ખૂબ જ નમ્ર અને સાહજિક વ્યક્તિ હતા. તેમનો આટલો મોટો વિશાળ ચાહક વર્ગ એમને આરામથી મળી શકતો હતો. દરેક ઉંમરના લોકો સાથે કલાકો સુધી ગપ્પાં મારતા અને બધાને ખડખડાટ હસાવતા. આજે આવા તારકભાઇ નથી એ અનેક લોકો માટે અંગત રીતે એક પ્રકારનો ખાલીપો પેદા કરે છે.
4/10
 તારકભાઇની જે વિશેષતા છે તે એમનું સાતત્ય છે. ચિત્રલેખામાં ૪૫ વર્ષથી વધુ સમય સુધી આવી હાસ્યકોલમ લખવી અને એની ગુણવત્તા જાળવી રાખવી એ એક વિરલ ઘટના છે. એમની વિદેશયાત્રા અંગેનું પુસ્તક એમની આગવી અવલોકનશક્તિનો પરિચય કરાવે છે.
તારકભાઇની જે વિશેષતા છે તે એમનું સાતત્ય છે. ચિત્રલેખામાં ૪૫ વર્ષથી વધુ સમય સુધી આવી હાસ્યકોલમ લખવી અને એની ગુણવત્તા જાળવી રાખવી એ એક વિરલ ઘટના છે. એમની વિદેશયાત્રા અંગેનું પુસ્તક એમની આગવી અવલોકનશક્તિનો પરિચય કરાવે છે.
5/10
વળી એમણે પોતાના નાટ્યકાર તરીકેના બેકગ્રાઉન્ડને કારણે અભિનય ક્ષમ લખવાની જાગૃતિ રાખી છે. તેને કારણે તેમની 'તારક મેહતા કે ઉલ્ટે ચશ્મેં' સિરીયલ આખા ભારતમાં જ નહીં બલકે આખા વિશ્વમાં લોકપ્રિયતા પામી છે. તે અંગ્રેજી સેટાયર કે પેરોડી જેવા હાસ્યપ્રયોગોનો પણ સફળતાથી ઉપયોગ કરી શક્યા છે.
વળી એમણે પોતાના નાટ્યકાર તરીકેના બેકગ્રાઉન્ડને કારણે અભિનય ક્ષમ લખવાની જાગૃતિ રાખી છે. તેને કારણે તેમની 'તારક મેહતા કે ઉલ્ટે ચશ્મેં' સિરીયલ આખા ભારતમાં જ નહીં બલકે આખા વિશ્વમાં લોકપ્રિયતા પામી છે. તે અંગ્રેજી સેટાયર કે પેરોડી જેવા હાસ્યપ્રયોગોનો પણ સફળતાથી ઉપયોગ કરી શક્યા છે.
6/10
તારકભાઇનાં બીજાં પાત્રો પણ એ રીતે સર્જાયાં છે. બારીકાઇથી જોઇએ તો તારકભાઇ ગુજરાતી સમાજનું, ખાસ કરીને મધ્યમ વર્ગનું ચોકસાઇથી નિરીક્ષણ કરે છે અને એમાંથી હાસ્ય શોધી કાઢે છે. એમની કૃતિઓ આટલી બધી લોકપ્રિય થઇ એનું મુખ્ય કારણ એ વાસ્તવિકતાથી ખૂબ નજીક રહી છે તે છે. તારકભાઇએ પોતાનાં પાત્રોને વધુ અસરકારક રીતે હાસ્યકારક બનાવવા વ્યંગ કે બીજા સંસ્કૃત સાહિત્યમાં પ્રચલિત અલંકારોની સહાય લીધી છે.
તારકભાઇનાં બીજાં પાત્રો પણ એ રીતે સર્જાયાં છે. બારીકાઇથી જોઇએ તો તારકભાઇ ગુજરાતી સમાજનું, ખાસ કરીને મધ્યમ વર્ગનું ચોકસાઇથી નિરીક્ષણ કરે છે અને એમાંથી હાસ્ય શોધી કાઢે છે. એમની કૃતિઓ આટલી બધી લોકપ્રિય થઇ એનું મુખ્ય કારણ એ વાસ્તવિકતાથી ખૂબ નજીક રહી છે તે છે. તારકભાઇએ પોતાનાં પાત્રોને વધુ અસરકારક રીતે હાસ્યકારક બનાવવા વ્યંગ કે બીજા સંસ્કૃત સાહિત્યમાં પ્રચલિત અલંકારોની સહાય લીધી છે.
7/10
 તારકભાઇએ શરૂઆતમાં નાટકમાં હાથ અજમાવ્યો, પણ એમનું મૂળ ગોત્ર હાસ્યનું હતું. એટલે એમણે સ્વભાવને અનુકૂળ એવા ક્ષેત્રમાં જ અવિસ્મરણીય કામ કર્યું છે. એમના હાસ્યમાં સૂક્ષ્મ, સ્થૂળ હાસ્ય અનેક છટાઓમાં જોવા મળે છે. તારકભાઇની કથનશૈલીમાં નાટક (એમનો નાટ્યકારનો જીવ હોવાને કારણે) અને હાસ્યનું સુભગ મિશ્રણ જોવા મળે છે. ૧૯૭૧માંએ ટપુડાના પાત્રનું સર્જન કરે છે. ટપુડો એ એમને બાળપણમાં જે તોફાનો કે ટીખળ નથી કર્યાં તે જુદી રીતે પ્રગટ કરનારા પાત્ર તરીકે એ વિકાસ પામે છે. પરંતુ આપણે જોઇ શકીએ છીએ કે તારકભાઇના મનમાં તો એ સમાજમાં ચાલતી વિટંબણાઓ, માનસિક સંઘર્ષો રજૂ કરવાની ઇચ્છા હતી.
તારકભાઇએ શરૂઆતમાં નાટકમાં હાથ અજમાવ્યો, પણ એમનું મૂળ ગોત્ર હાસ્યનું હતું. એટલે એમણે સ્વભાવને અનુકૂળ એવા ક્ષેત્રમાં જ અવિસ્મરણીય કામ કર્યું છે. એમના હાસ્યમાં સૂક્ષ્મ, સ્થૂળ હાસ્ય અનેક છટાઓમાં જોવા મળે છે. તારકભાઇની કથનશૈલીમાં નાટક (એમનો નાટ્યકારનો જીવ હોવાને કારણે) અને હાસ્યનું સુભગ મિશ્રણ જોવા મળે છે. ૧૯૭૧માંએ ટપુડાના પાત્રનું સર્જન કરે છે. ટપુડો એ એમને બાળપણમાં જે તોફાનો કે ટીખળ નથી કર્યાં તે જુદી રીતે પ્રગટ કરનારા પાત્ર તરીકે એ વિકાસ પામે છે. પરંતુ આપણે જોઇ શકીએ છીએ કે તારકભાઇના મનમાં તો એ સમાજમાં ચાલતી વિટંબણાઓ, માનસિક સંઘર્ષો રજૂ કરવાની ઇચ્છા હતી.
8/10
એમની આત્મકથાના છેલ્લા પ્રકરણમાં એક વાક્ય લખ્યું છે તે હું અત્યારે સ્મરું છું. 'મારી જિંદગીનું સરવૈયું એટલું જ, મેં લાખો માણસોને હસાવ્યા છે, એનો મને આનંદ છે. સમાપ્ત. (એક્શન રિપ્લે, ભાગ ૨, પાના નં.૨૩૭)' અહીં તારકભાઇએ જે સૌથી નાનું વાક્ય લખ્યું છે, તે છે 'સમાપ્ત'. આ એક વાક્યમાં એમની નિરપેક્ષ જીવનશૈલી, વાચકો અને ભાવકો પ્રત્યેની તેમની નિર્ભેળ નિષ્ઠા અને સ્પષ્ટવક્તા તરીકેની અણીદાર પ્રામાણિકતા પ્રગટ થાય છે.
એમની આત્મકથાના છેલ્લા પ્રકરણમાં એક વાક્ય લખ્યું છે તે હું અત્યારે સ્મરું છું. 'મારી જિંદગીનું સરવૈયું એટલું જ, મેં લાખો માણસોને હસાવ્યા છે, એનો મને આનંદ છે. સમાપ્ત. (એક્શન રિપ્લે, ભાગ ૨, પાના નં.૨૩૭)' અહીં તારકભાઇએ જે સૌથી નાનું વાક્ય લખ્યું છે, તે છે 'સમાપ્ત'. આ એક વાક્યમાં એમની નિરપેક્ષ જીવનશૈલી, વાચકો અને ભાવકો પ્રત્યેની તેમની નિર્ભેળ નિષ્ઠા અને સ્પષ્ટવક્તા તરીકેની અણીદાર પ્રામાણિકતા પ્રગટ થાય છે.
9/10
 મારે એમની સાથે અંગત સંબંધ હતો અને એટલે આજે વધારે દુ:ખની લાગણી અનુભવું છું. તારકભાઇનું વ્યક્તિત્વ અદભુત અને ઉમદા હતું. તે એક ખૂબ જ પ્રામાણિક માણસ હતા તે એમની આત્મકતા 'એક્શન રિપ્લે'ના બંને ભાગોમાં છલકાય છે. મને એમનું પારદર્શક વ્યક્તિત્વ એ માટે જ ખૂબ ગમતું હતું.
મારે એમની સાથે અંગત સંબંધ હતો અને એટલે આજે વધારે દુ:ખની લાગણી અનુભવું છું. તારકભાઇનું વ્યક્તિત્વ અદભુત અને ઉમદા હતું. તે એક ખૂબ જ પ્રામાણિક માણસ હતા તે એમની આત્મકતા 'એક્શન રિપ્લે'ના બંને ભાગોમાં છલકાય છે. મને એમનું પારદર્શક વ્યક્તિત્વ એ માટે જ ખૂબ ગમતું હતું.
10/10
અમદાવાદઃ 1લી માર્ચે જાણીતા હાસ્ય લેખત તારક મહેતાનું 88 વર્ષની જૈફ વયે અમદાવાદ ખાતેના નિવાસસ્થાને નિધન થયું. તેમના નિધનથી સમગ્ર સાહિત્યજગતમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરીને તેમને શ્રદ્ધાંજલી અર્પી હતી. બાદમાં મોદીએ તારક મહેતાના પત્ની ઇન્દુબેનને પત્ર લખી શ્રદ્ધાંજલી અર્પી હતી. ગુજરાતી ભાષાના સમર્થ હાસ્યલેખકના અવસાનથી હું અંગત રીતે ખૂબ જ વ્યથિત થયો છું. આગળ વાંચો મોદીએ પત્રમાં આગળ શું લખ્યું.
અમદાવાદઃ 1લી માર્ચે જાણીતા હાસ્ય લેખત તારક મહેતાનું 88 વર્ષની જૈફ વયે અમદાવાદ ખાતેના નિવાસસ્થાને નિધન થયું. તેમના નિધનથી સમગ્ર સાહિત્યજગતમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરીને તેમને શ્રદ્ધાંજલી અર્પી હતી. બાદમાં મોદીએ તારક મહેતાના પત્ની ઇન્દુબેનને પત્ર લખી શ્રદ્ધાંજલી અર્પી હતી. ગુજરાતી ભાષાના સમર્થ હાસ્યલેખકના અવસાનથી હું અંગત રીતે ખૂબ જ વ્યથિત થયો છું. આગળ વાંચો મોદીએ પત્રમાં આગળ શું લખ્યું.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગ્લૉબલ એનર્જી ઇન્ડિપેન્ડન્સ ડે: નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રે 50.386 ગીગાવૉટ ક્ષમતા સાથે ગુજરાત દેશમાં મોખરે
ગ્લૉબલ એનર્જી ઇન્ડિપેન્ડન્સ ડે: નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રે 50.386 ગીગાવૉટ ક્ષમતા સાથે ગુજરાત દેશમાં મોખરે
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
વરસાદે વિરામ લીધો છતાં ગુજરાતમાં સ્થિતિ યથાવત: 168 રસ્તા બંધ, 10 ડેમ હાઈ એલર્ટ પર
વરસાદે વિરામ લીધો છતાં ગુજરાતમાં સ્થિતિ યથાવત: 168 રસ્તા બંધ, 10 ડેમ હાઈ એલર્ટ પર
અંબાલાલ પટેલની વરસાદને લઈને નવી આગાહી: 27થી 30 જુલાઈએ આ જિલ્લામાં વરસશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની વરસાદને લઈને નવી આગાહી: 27થી 30 જુલાઈએ આ જિલ્લામાં વરસશે ભારે વરસાદ

વિડિઓઝ

અમેરિકાએ ફરી ઈરાન પર કર્યો હુમલો, ચાબહારમાં વીજ પુરવઠો થયો ઠપ
Rajkot | રાજકોટમાં નજીવી બાબતે માથાકૂટ બાદ કાકા-ભત્રીજા પર ફાયરિંગ, એકનું મોત
Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'2014 માં જ્યારે હું PM બન્યો, 28 વર્ષમાં પહેલીવાર કોઈ ભારતીય વડાપ્રધાન ઓસ્ટ્રેલિયા પહોંચ્યા હતા, 12 વર્ષમાં 3 વાર આવ્યો'
'2014 માં જ્યારે હું PM બન્યો, 28 વર્ષમાં પહેલીવાર કોઈ ભારતીય વડાપ્રધાન ઓસ્ટ્રેલિયા પહોંચ્યા હતા, 12 વર્ષમાં 3 વાર આવ્યો'
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
Gujarat Rain Forecast: રાજ્યમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન, ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ, જાણો અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન, ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ, જાણો અપડેટ્સ
હવામાન વિભાગની મોટી ચેતવણી, આગામી 2-3 દિવસમાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભુક્કા બોલાવશે વરસાદ
હવામાન વિભાગની મોટી ચેતવણી, આગામી 2-3 દિવસમાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભુક્કા બોલાવશે વરસાદ
Rajkot Crime: રાજકોટમાં નજીવી બાબતે ફાયરિંગ, કાકા-ભત્રીજા પર અંધાધૂંધ 4 રાઉન્ડ ફાયરિંગમાં ભત્રીજા કૃષ્ણરાજસિંહનું મોત
Rajkot Crime: રાજકોટમાં નજીવી બાબતે ફાયરિંગ, કાકા-ભત્રીજા પર અંધાધૂંધ 4 રાઉન્ડ ફાયરિંગમાં ભત્રીજા કૃષ્ણરાજસિંહનું મોત
Supercomputer: કેટલા રૂપિયાનું આવે છે સુપરકમ્પ્યુટર, એક કલાકમાં કેટલી ખાય છે વીજળી?
Supercomputer: કેટલા રૂપિયાનું આવે છે સુપરકમ્પ્યુટર, એક કલાકમાં કેટલી ખાય છે વીજળી?
IND vs ENG: શું વરસાદ બનશે વિલન? જાણો આજે ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ ચોથી T20માં કેવું રહેશે બ્રિસ્ટલનું હવામાન
IND vs ENG: શું વરસાદ બનશે વિલન? જાણો આજે ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ ચોથી T20માં કેવું રહેશે બ્રિસ્ટલનું હવામાન
ભારતમાં હવે દુબઈથી આવશે વીજળી, સમુદ્રની નીચે બિછાવાશે પાવર કેબલ, 40 હજાર કરોડ ખર્ચશે સરકાર
ભારતમાં હવે દુબઈથી આવશે વીજળી, સમુદ્રની નીચે બિછાવાશે પાવર કેબલ, 40 હજાર કરોડ ખર્ચશે સરકાર
Embed widget