હાલની રાજ્યસભાની ચાર બેઠકો પૈકી ત્રણ બેઠકના સભ્યો કેન્દ્રમાં પ્રધાન છે. તેથી આગામી ચૂંટણીમાં ભાજપે આ ત્રણમાંથી એક પ્રધાનને પડતા મૂકવા અથવા અન્ય રાજ્યમાંથી ચૂંટણી લડાવવી પડે તેવી સ્થિતિ છે.
2/6
અમદાવાદઃ 23 માર્ચે ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ધારાસભ્યોની સંખ્યા ઘટી જતાં ચારેય બેઠકો મળવી શક્ય નથી. ભાજપની વર્તમાન સંખ્યાબળને આધારે બે બેઠકો જ જીતી શકે તેમ છે.
3/6
સૂત્રોના કહેવા મુજબ શંકર વેગડનું પત્તુ કપાશે તે પણ નક્કી છે. આ ઉપરાંત કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાનું પત્તુ કપાવાની શક્યતા છે. આ ઉપરાંત એક અટકળ પ્રમાણે ભાજપ જેટલીને અન્ય રાજ્યમાંથી રાજ્યસભાની ચૂંટણી ઉતારી શકે છે. જો આમ થાય તો માંડવિયા બચી શકે છે.
4/6
હાલ ગુજરાતમાંથી અરૂણ જેટલી, પરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા કેન્દ્ર સરકારમાં મંત્રી છે. જ્યારે શંકર વેગડ માત્ર રાજ્યસભા સાંસદ છે.
5/6
આ સંજોગોમાં ક્યા મંત્રીને પડતા મૂકવા અથવા બીજા રાજ્યમાંથી ચૂંટણી લડાવી પ્રધાનપદે ચાલુ રાખવા તેને લઈ ભાજપ હાઇકમાન્ડ માટે કપરી સ્થિતિ ઉભી થઈ છે.
6/6
ભાજપ અરૂણ જેટલીને ગુજરાતમાંથી ઉત્તરપ્રદેશ કે મહારાષ્ટ્રમાં મોકલી શકે છે. આ બંને રાજ્યોમાં અનુક્રમે 10 અને 6 બેઠકોની ચૂંટણી યોજાવાની છે. ગુજરાતમાંથી પરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવીયા બંને પટેલ નેતા છે. 2019 લોકસભા ચૂંટણીને જોતાં ભાજપ તેમની ટિકિટ કાપવા નહીં માંગે.