શોધખોળ કરો
ભરૂચઃ નર્મદા નદીને સુકીભઠ કરનારી ગુજરાત સરકારને જગાડવા સંતો કેમ મેદાને પડ્યા, જાણો કારણ
1/4

ભરૂચઃ છેલ્લા ચાર વર્ષથી નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં નહીં આવતા ભરૂચમાં નદી સુકીભઠ બની ગઈ છે. એક સમયે નદીના પટનો વિસ્તાર 1250 મીટર જેટલો વિશાળ હતો, જે આજે સુકાઇને 500 મીટર જ રહી ગયો છે. પરિણામે હવે નર્મદા સ્નાનનું પુણ્ય લેવા હવે શ્રધ્ધાળુઓને ચાણોદ સુધીનો ફેરો ફરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. નર્મદા નદીમાં પાણી નહિ હોવાથી શ્રધ્ધાળુઓની ધાર્મિક લાગણી દુભાઇ છે. નર્મદા મૈયાને જીવંત કરવાની માંગ સાથે આગામી દિવસોમાં સાધુ સંતો ગાંધીનગરમાં સરકારને જગાડવા ઉપવાસ આંદોલન કરી શકે છે.
2/4

નર્મદા નદી સુકીભઠ બની જવાને કારણે હિલ્સા માછલીનો 60 કરોડ રૂપિયાનો કારોબાર ઠપ થતાં 25 હજારથી વધારે માછીમારોની રોજગારી સામે સવાલો ઉભા થયાં છે. ફેબ્રુઆરી માસમાં શરૂ થતી હિલ્સા માછલીની સીઝન નિષ્ફળ જવાની ભિતિ સેવાઇ રહી છે. ભાડભુતના માછીમાર આગેવાન પ્રવિણ ટંડેલે જણાવ્યું છે કે, ભરૂચ જિલ્લામાં 25 હજાર કરતાં વધારે માછીમાર પરિવારો વસવાટ કરે છે. તેઓ દરિયામાંથી નદીના મીઠા પાણીમાં પ્રજનન માટે આવતી હિલ્સા માછલીનો શિકાર કરી રોજગારી મેળવે છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતું નહિ હોવાને કારણે નદીના મીઠા પાણી ખારા બની ગયાં છે જેના કારણે દરિયામાંથી નદીમાં આવતી હિલ્સા માછલીની સંખ્યા ઘટી છે.
Published at : 07 Feb 2018 01:34 PM (IST)
View More























