બીજી બાજુ મૃતકોમાં લાલજીના પહાડિયા ગામમાં રહેતા માતા-પુત્રનો પણ સમાવેશ થાય છે. જેઓ લગ્નની કંકોત્રી આપવા જતાં હતા અને રસ્તામાં કાળનો કોળિયો બની ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
2/3
અરવલ્લીના માલપુરના વાવડી ગામ પાસે બે કાર સામ સામે અથડાઈ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે ત્રણ લોકોનાં ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યાં હતાં જ્યારે અન્ય ચાર લોકો ઘાયલ થયા હતા. જેઓને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત અકસ્માતને કારણે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
3/3
મોડાસા: વાસી ઉત્તરાયણની સાંજના સમયે અરવલ્લીના માલપુરના વાવડી પાસે બે કાર વચ્ચે ગોજારો અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ લોકોનાં મોત નિપજ્યાં હતાં. નોંધનીય છે કે કંકોત્રી આપવા જઈ રહેલા માતા-પુત્રનું પણ મોત નિપજ્યું હતું. અકસ્માત થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતાં. જ્યારે અકસ્માતને કારણે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.