મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રધાનમંત્રીની નોટબંધીને યાદ કરી હતી અને કહ્યું કે પ્રધાનમંત્રીએ નોટબંધી કરી અમે દારૂ અને હુક્કાબંધી કરી છે. મુખ્યમંત્રીએ ગૌહત્યા મામલે કહ્યું કે આગામી દિવસોમાં કડક કાયદો બનાવવામાં આવશે.
2/4
વેરાવળ: ગીર સોમનાથ જિલ્લામાં ગયેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સભાને સંબોધતા કહ્યું હતું કે ગુજરાતમાં ભવિષ્યમાં સંત નગરી બનાવીશુ. ગુજરાતને સંત નગરી બનાવવીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સપનુ હતું.
3/4
આ નગરમાં શંકરાચાર્યએ સ્થાપેલા તમામ સ્થાપત્યો હશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું કે ગૌ હત્યા મામલે આગામી દિવસોમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
4/4
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સભાને સંબોધન કરતા કહ્યું કે હું સીએમ હતો, છુ અને રહેવાનો છુ. હુ એક સામાન્ય માણસ છુ.