શોધખોળ કરો
જામનગરઃ પરિવાર બહાર ગયુ ને યુવતીએ પ્રેમીને ઘરે બોલાવી સજોડે ખાઇ લીધો ગળાફાંસો, જાણો વિગતે
1/5

ઉદીતાના પિતા કમલેશભાઇ કુરિયર કંપનીમાં કરે છે, તેમને કામ અર્થે મુંબઇ જવાનું થયું, તે દરમિયાન રવિવારે સાતમના દિવસે ઉદીતાએ પ્રેમી જયરાજસિંહને ઘરે બોલાવી કોઇપણ અગમ્ય કારણોસર પંખામાં દુપટ્ટો બાંધી બન્નેએ સજોડે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જોકે, બાદમાં ઉદીતાના પરિવારજનો ઘરે આવતાં તેને બનાવની જાણ થતાં પોલીસને જાણ કરી હતી. આથી સિટી એ ડિવિઝન પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી.
2/5

સજોડે આપઘાત કરી લેનાર ઉદીતાનો ભાઇ અને જયરાજસિંહનો ભાઇ બંને સાથે કચ્છ માતાના મઢે દર્શનાર્થે ગયા હોવાનું પણ પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. ત્યારે બંનેના પરિવાર વચ્ચે સુમેળ હોવા છતાં પ્રેમીયુગલે ક્યાં કારણોસર આ પગલું ભર્યું તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. લગ્ન માટે રાજીપો થયા બાદ જ પ્રેમી પંખીડાના ભાઇ માતાજીના દર્શન કરવા ગયા હતા.
Published at : 03 Sep 2018 03:26 PM (IST)
Tags :
SuicideView More





















