જમ્મુ-કાશ્મીરના ડીજીપી એસપી વૈદે કહ્યું કે, કિશ્તવાડામાં એક દુઃખદ ઘટના બની છે. એક યાત્રાળુઓ ભરેલી બસ માછિત માતાના દર્શને જઇ રહી હતી. ત્યારે આ બસ શ્રદ્ધાળુઓ સાથે ચેનાબ નદીમાં ખાબકી હતી. આ બસ કિશ્તવાડથી પાડર તરફ જઇ રહી હતી. આ દુર્ઘટનામાં પાંચ વર્ષનો એક બાળક બચી ગયો છે. જ્યારે ઓછામાં ઓછા 11 લોકોના મોત નીપજ્યા છે.
2/3
જમ્મુઃ જમ્મુ-કાશ્મીરમાં એક ભયાનક અકસ્માત થયો છે. માતાના દર્શન કરવા માટે જઈ રહેલ શ્રદ્ધાળુઓથી ભરેલી બસ ચેનાબ નદીમાં ખાબકી છે. ઘટનામાં અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયાના અહેવાલ છે. જોકે મરનારાઓની સંખ્યામાં વધારો થઈ શકે છે.
3/3
મળતી માહિતી પ્રમાણે શ્રદ્ધાળુઓ માછિત માતાના દર્શને જઇ રહ્યા હતા. અત્યાર સુધી 11 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થાય છે. હજી સુધી એ નક્કી થયું નથી કે આ બસમાં કેટલા લોકો સવાર હતા. જાણકારી પ્રમાણે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.