શોધખોળ કરો
કોલકાતામાં CBIvsPOLICE: મોદી વિરૂદ્ધ મમતાના ઘરણા, બોલ્યા- દેશમાં કટોકટી કરતા પણ ખરાબ સ્થિતિ
1/3

કોલકાતા: પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં સીબીઆઈ અને પોલીસ સામ-સામે આવી ગયા હતા. આજે શારદા ચિટફંડ કેસમાં પોલીસ કમિશનર રાજીવ કુમારની પુછપરછ કરવા પહોંચેલી સીબીઆઈની ટીમની પોલીસે ધરપકડ કર્યા બાદ છોડી મુક્યા હતા. આ મામલે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઘરણા પર બેસી ગયા છે. મમતાએ પીએમ મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ પર બદલાની ભાવનાનો આરોપ લગાવ્યો છે.
2/3

આ મામલે સીએમ મમતા બેનર્જીએ પત્રકાર પરિષદ કરી મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, મોદીના બંગાળ પ્રવાસ બાદ જ સીબીઆઈ હરકતમાં આવી ગયું છે. દેશમાં હાલ કટોકટી કરતા પણ વધારે ખરાબ માહોલ છે.
Published at : 03 Feb 2019 09:25 PM (IST)
View More
ટોપ સ્ટોરી
દેશ
ગાંધીનગર
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ





















