ચાર માર્ચે મમતા બેનર્જીએ રાવ સાથે ફોન પર વાત કરી તેમના વાત પર સહમતી દર્શાવી હતી કે તે શાસનમાં ‘‘ગુણાત્મક ફેરફાર” લાવવા માટે રાષ્ટ્રીય રાજકારણમાં ભાગ લેવા તૈયાર છે.
2/6
તેલંગાણા મુખ્યમંત્રી કાર્યાલયના સુત્રોએ જણાવ્યું કે આ સંબંધમાં તે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે 19 માર્ચે મુલાકાત અને ચર્ચા કરશે. તેમને જણાવ્યું કે મુખ્યમંત્રી કોલકત્તામાં સાંજે લગભગ ચાર વાગે મમતા બેનર્જી સાથે મીટિંગ કરશે.
3/6
4/6
હૈદરાબાદઃ 2019માં મોદી સરકારને હરાવવા થર્ડ ફ્રન્ટ મેદાનમાં આવશે, તેના માટે દેશના નાના મોટા પક્ષો એક થવાની તૈયારી કરી રહ્યાં છે. તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને 19મી માર્ચે કોલકત્તામાં મુલાકાત કરશે. રાવે દેશમાં એક બિનભાજપી અને એક બિનકોંગ્રેસી સરકારનો વિકલ્પ સ્થાપિત કરવાની તૈયારીઓ પુરજોશમાં ચાલું કરી દીધી છે.
5/6
કેસીઆર નામથી પ્રખ્યાત રાવે તાજેતરમાં જ રાજકારણમાં ગુણાત્મક ફેરફારની વાત કરી હતી. સાથે તેમને જાહેરાત કરી હતી કે તે એક રાજકીય મોર્ચામાં નેતૃત્વની જવાબદારી ઉઠાવવા તૈયાર છે.