શોધખોળ કરો
રેલવે યાત્રા પર છૂટ માટે આધાર કે યુઆઇડી ફરજિયાત બનાવી શકે છે સરકાર
1/4

રેલવેએ નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬માં કુલ ૧૬૦૦ કરોડ રૂપિયાની રાહત આપી હતી, જેનો સૌથી વધુ લાભ સિનિયર સિટિઝનને મળ્યો છે. સરકારી આંકડા મુજબ હવે ૧૦૦ કરોડ આધાર કાર્ડ્સનું વિતરણ થઈ ગયું છે. મતલબ કે દેશની મોટાભાગની વસતીને આધાર નંબર આપી દેવાયો છે. આવા સંજોગોમાં કન્સેશનનો દુરુપયોગ અટકાવવાના હેતુથી તેના માટે આધાર ફરજિયાત બનાવવા અંગે બજેટમાં જાહેરાત થાય તેવી સંભાવના છે.
2/4

સૂત્રોએ કહ્યું હતું કે આધાર કે યુઆઈડી ફરજિયાત કરવાથી કન્સેશનનો ખોટો લાભ લેતા લોકો પર અંકુશ મુકાશે અને ગરબડ અટકાવવામાં મદદ મળશે. રેલવે ૫૦થી વધુ કેટેગરીના મુસાફરોને વિવિધ સ્તર પર રાહત-કન્સેશન આપે છે.
Published at : 30 Jan 2017 08:02 AM (IST)
View More























