ઓઈલ કંપનીઓને વેચાતાં ઈથેનોલ, ઈ-બુક અને આયાતી યુરિયા પર હવે 18 ટકા નહીં પરંતુ 5 ટકા જીએસટી ટેક્સ લાગશે. જ્યારે વાંસના ફ્લોરિંગ પર 12 ટકા ટેક્સ લાગશે.
2/5
લિથિયમ આયોન બેટરી, વેક્યૂમ ક્લીનર, ફૂટગ્રાઉન્ડર અને મિક્સર, શેવર અને હેરક્લીપર, ઈલેક્ટ્રિક સ્મૂધિંગ આયર્ન, વોટરકુલર, આઈસક્રીમનાં ફ્રીઝર, રેફ્રિજરેટર, વોશિંગમશીનને 28 ટકાનાં સ્લેબમાંથી ખસેડીને 18 ટકાના સ્લેબમાં મુકવામાં આવ્યા છે.
3/5
આ ઉપરાંત હેન્ડલૂમની દરી, ફર્ટિલાઈઝર ગ્રેડનો ફોસ્ફોરિક એસિડ અને 1000 રૂપિયાથી ઓછી કિંમતના જૂતાને 12 ટકાના સ્લેબમાંથી 5 ટકાના સ્લેબમાં ખસેડવામાં આવ્યા છે.
4/5
આ બેઠકમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો જેમાં સેનિટરી નેપ્કિન, 2) પથ્થર, માર્બલ અથવા લાડકાની મૂર્તિઓ, કિંમતી ધાતૂ વિનાની રાખડી, ઝાડૂ બનાવવાનાં રો મટીરિયલ, આરબીઆઈ અથવા સરકાર દ્વારા જારી કરાંતા સ્મૃતિચિહ્નરૂપ સિક્કા, સાલનાં પાંદડાં અને ફોર્ટિફાઈડ મિલ્કને જીએસટીમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે.
5/5
નવી દિલ્હી: જીએસટી કાઉન્સિલની શનિવારે યોજાયેલી 28મી બેઠકમાં કેટલીક મહત્વની વસ્તુઓ પર જીએસટી દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ બેઠકમાં જીએસટી કાઉન્સિલે મોટો નિર્ણય કર્યો છે, જેના બાદ હોમ એપલાયન્સેજ પર લગાવવામાં આવેલ 28 ટકા જીએસટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ ભાવ તાત્કાલિક ઘટાડવામાં આવશે નહીં પરંતુ 127 જુલાઈ ભાવ અમલી બનશે.