શોધખોળ કરો
સાયબર હુમલાની આશંકાને પગલે RBIનું એલર્ટ, જાણો ક્યાં સુધી બંધ રહેશે ATM
1/5

નવી દિલ્હીઃ દુનિયાભરમાં 100થી વધુ દેશોમાં થયેલા ‘રેન્સમવેર અટેક’થી વિશ્વભરમાં ખળભળાટ મચી ગયો છે. આ સાયબર હુમલાની અસર બેન્કો અને એટીએમને પણ થઇ શકે છે તેની શંકાના આધારે દેશભરમાં મોટી સંખ્યામાં એટીએમ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ભારતીય રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ બેન્કોને એલર્ટ આપતા જણાવ્યું હતું કે, રેન્સમવેર અટેક એટીએમ પર પણ થઇ શકે છે.
2/5

ગૃહમંત્રાલયે કહ્યું હતું કે, સાયબર હુમલાની આશંકાને પગલે દેશભરમાં અનેક એટીએમ બંધ કરી દેવામાં આવ્યા છે. ગૃહમંત્રાલયે કહ્યું કે, અમે હાલમાં પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. સુત્રોના કહેવા પ્રમાણે, આગામી બે દિવસ સુધી એટીએમ બંધ રહે તેવી શક્યતા છે.
Published at : 15 May 2017 05:25 PM (IST)
View More
ટ્રેન્ડિંગ સમાચાર





















